સમાચાર સારાંશ:
જૂનાગઢ માંગરોળ: જનપ્રતિનિધિ જુના ગયા અને નવા આવ્યા સરકારી તંત્રમાં અધિકારીઓ પણ આવ્યા અને ગયા પરંતુ જૂનાગઢના ઘેડ વિસ્તારના ગામડાઓની પરિસ્થિતિ ઠેરની ઠેર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના ગામડાઓ પાણીમાં થયા ગરકાવ રોડ રસ્તાઓ ધોવાયા સાથે સાથે ખેડૂતોના ખેતરોમાં પણ ધોવાણ થયાની જ્યારે ખેડૂતોના ખેતરમાં થયેલા વાવેતરમાં નુકશાન સાથે ઘેડ વિસ્તારના લોકોની સમસ્યાઓ વધી

વાત કરીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સમાવેશ ઘેડ વિસ્તારની તો માંગરોળ તાલુકાના સમારડા ઘેડ ,સરમાં ઘેડ ,સાંઢા ઘેડ સહિત ના ગામડાઓ માં વરસાદી પાણી અને ઓઝત નદીના પાણી એ સમગ્ર ઘેડ વિસ્તાર ને બેટમાં ફેરવી દીધો છે ત્યારે ઘેડમાં વસતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે ઘેડ વિસ્તાર ના લોકોનું કહેવું છે કે દર વર્ષે આ હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આવી સ્થતિમાં અમારા ઘરોમાં પાણી ઘુસી જાય છે
સાથે સાથે દર વર્ષે પુર આવવાથી સમગ્ર ઘેડ બેટમાં ફેરવાઈ જાય છે જેથી ગામડાઓના રસ્તાઓ બંધ થઈ જાય છે તેવામાં બહારની સ્કૂલોમાં અભ્યાસ માટે જતા અમારા બાળકોનો અભ્યાસ બંધ રહે છે વળી ખેતરમાં વાવેતર કરાયેલ પાકો દર વર્ષે નિષ્ફ્ળ જાય છે જેથી અમે દિવસે ને દિવસે કંગાળ બની રહ્યા છે જ્યારે એક દિવસ એવો આવશે કે ઘેડમાં કોઈ રહેતું નહીં હોય અને ત્યારે આ સુંદર હરિયાળો પ્રદેશ બેટમાં ફેરવાઈ જશે જેથી સરકારી તંત્ર આ બાબતે ધ્યાન આપે .
દર વર્ષે ઘેડ વિસ્તારમાં યોજાતી આ પરિસ્થિતિ માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં નથી લેવામાં આવ્યા ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં યોગ્ય સર્વે કરવામાં આવે અને જે નદીઓના પળાઓ માટીમાંથી બનવવામાં આવે છે તે કાચા છે અને પુર આવે ત્યારે ધોવાઈ જાય છે જેથી તે પાણી તારાજી સર્જે છે ત્યારે આ પાળાઓને પાકા બનવવામાં આવે સરકાર દ્વારા દર વર્ષે માટીના પાળાઓ બનવવામાં આવે છે સાથે સાથે રોડ રસ્તાઓ સારા બનવવામાં આવે છે
પરંતુ પુર આવતાની સાથે દર વર્ષે ધોવાણ થઈ જાય છે ત્યારે સરકાર દ્વારા જો પાક્કા પાળાઓ બનવવામાં આવે તો દર વર્ષે આવા ખર્ચાથી બચી શકાય છે ત્યારે ઘેડ વિસ્તારના લોકો દ્વારા દર વર્ષે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા તેના દ્રશ્યો દર વર્ષે સામે આવે છે જેમાં ઘેડ વિસ્તાર ના લોકોની કરુર્ણતા સામે આવતી હોય છે સરકારમાં ઘણા નેતાઓ બદલ્યા ત્યારે હવે લોકો નવા મંત્રી મંડળમાં આવેલા સાંસદ મનસુખભાઇ મંડાવીયા પાસે યોગ્ય કાર્યની આશાની અપીલ કરી રહ્યા છે
બાઈટ :- નરેન્દ્રભાઇ મવાદીયા(સ્થાનિક સામારડા ગામ)
બાઈટ :- ડાયા ભાઈ ભરડા (સરપંચ સામરડા ગામ)
આમ જોઈએ તો જૂનાગઢ જિલ્લાના ભાજપના સાંસદ સતત ત્રીજી વખત જિલ્લા સાંસદ તરીકે આવ્યા છે પરંતુ ઘેડ વિસ્તારની પરિસ્થિતિમાં હજી કોઈ બદલાવ નથી આવ્યો. સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ સરકારને કદાચ ગુજરાતના નકશામાં આ પ્રદેશ નથી દેખાતો ત્યારે હવે સરકાર આ પ્રદેશમાં ડોક્યુ ક્યારે કરશે તે જોવાનું રહ્યું રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ-જુનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



