સમાચાર સારાંશ: એક્ઝિબિશનમાં 1100 કરતાં વધારે આર્ટિસ્ટ, આર્ટસ્ટુડન્ટસ અને બાળકૃતિઓના 1200 કરતાં વધારે પેઈન્ટિંગ પ્રદર્શિત કરાયા છે.
અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 64માં રાજ્ય કલા પ્રદર્શન એટલે કે ‘સ્ટેટ આર્ટ એક્ઝિબિશન'ની શરૂઆત થઈ
અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 64માં રાજ્ય કલા પ્રદર્શન એટલે કે ‘સ્ટેટ આર્ટ એક્ઝિબિશન'ની શરૂઆત થઈ છે. રવિશંકર રાવળ કલાભવન ખાતે શરૂ થયેલ આ એક્ઝિબિશનમાં 1100 કરતાં વધારે આર્ટિસ્ટ, આર્ટસ્ટુડન્ટસ અને બાળકૃતિઓના 1200 કરતાં વધારે પેઈન્ટિંગ પ્રદર્શિત કરાયા છે. જેમાં ગુજરાતનો કલાવારસાની ઝાંખી જોવા મળે છે.

આ પ્રદર્શનમાં પેઈન્ટિંગમાં સ્કલ્પચર, ફોટોગ્રાફી અને ગ્રાફિક આર્ટમાં 83 જેટલી વિજેતા આર્ટ કૃતિઓ પણ રજુ થઈ છે. પ્રદર્શન અગાઉ ગજ્જર હોલ ખાતે લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, વૃન્દાવન સોલંકી અને કનુ પટેલની ઉપસ્થિતીમાં ઈનામ વિજેતા કૃતિઓના આર્ટિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ અંગે વાત કરતાં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈએ કહ્યું કે, ‘ગુજરાતની સ્થાપનાના વર્ષ 1961થી અવિરત આ પ્રદર્શન યોજાય છે અને આ 64મું પ્રદર્શન છે.’ એક્ઝિબિશન 11 જુલાઈ સુધી સવારે 11થી સાંજે 7 સુધી જોઈ શકાશે.
ગુજરાત રાજ્યની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા દર વર્ષે રાજ્યનાં કલાકારને પ્રોત્સાન મળે, કલાનો વિકાસ થાય એ હેતુસર રાજ્ય કલા પ્રદર્શન-સ્પર્ધા આયોજન કરે છે. આ વર્ષે પણ ૬૪માં રાજ્ય કલા પ્રદર્શન-સ્પર્ધા - ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ.
ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલ ,ચિત્રકાર કૌશિક પટેલ ,ચિત્રકાર ભરત દેસાઈ ,ચિત્રકાર શુભાંગી પાટીલ સહીત પોરબંદરના યુવા શિલ્પ કાર અર્જુન સરમણભાઈ પરમાર સહીત ચિત્રકારોને સન્માન આપવામાં આવ્યું હતું
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



