સમાચાર સારાંશ: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે
ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરને કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહ્યો અને ટુડોને આપી સલાહ ભારત સાથે વિવાદ ઉકેલવો જોઇએ.
ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા અંગે, ભારત અને કેનેડાએ રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ટ્રુડો નિજ્જરને કેનેડાનો નાગરિક જણાવી ભારતને ઘેરી રહ્યા છે. ત્યારે કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહેવા સાથે જસ્ટિન ટ્રુડોને કહ્યું છે કે તે વિદેશી આતંકવાદીને લીધે ઉભરી રહેલી વૈશ્વિક તાકાત સાથે ન ઝઘડો.
પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના નેતા મેક્ષિમ બર્નિયરે ગુરૂવારે કહ્યું હતું કે હરદીપ સિંઘ નિજ્જર એક વિદેશી આતંકવાદી હતો તેને ૨૦૦૭માં કોઈપણ રીતે કેનેડાની નાગરિકતા આપવામાં આવી હતી. આવા આતંકવાદી અંગે વિવાદમાં પડવાને બદલે ઉભરતી રહેલી વિશ્વ શક્તિ ભારત સાથે તેણે વિવાદ ઉકેલવો જોઇએ.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના એક અધિકારીને ભાગેડુ આતંકીની યાદીમાં સામેલ કર્યા છે. આ યાદીમાં જે અધિકારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેની ઓળખ સંદીપ સિંહ સિદ્ધુ તરીકે થઈ છે. આ ભાગેડુ આતંકીને ભારત મોકલવાની માંગ કરાઈ છે.
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશનિકાલ કર્યા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી. જોકે, ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



