સમાચાર સારાંશ: હવે અસ્લમભાઈને સરકાર ન્યાય અપાવશે કે કેમ એ જોવું રહ્યું
અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. જેને લઈ તેની સામે કોઈ કાર્યવાહી ન થતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી
વાત કરીએ તો અસલમ બાંકે ખાનને પ્લોટના મકાનમાલિક દ્વારા તેમનો પ્લોટ જે નંબર 65, સૈયદ નગર પાસે, રહીમ નગર, દાણીલીમડા, અમદાવાદ ખાતે છે તે પુરા પૈસા ન આપી શકે તો ટુકડે ટુકડે જ્યારે પણ થાય તેમ વેચાણ આપવા અને ત્યાર બાદ મકાનના દસ્તાવેજ તેમના નામે કરી આપવા માટેનું નક્કી થયું જે મુજબ તેઓ માલિકની વાતોમાં આવી જતા અસલમ ભાઈ જાત મહેનતે કમાઈ ટુકડે ટુકડે લગભગ 5 લાખ ઉપરની રકમ તેને આપી પરંતુ ત્યાર બાદ માલિક દ્વારા કોઈજ કાગળો ન આપવામાં આવતા તેઓને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેઓએ પોલીસને આ બાબતે ફરિયાદ કરતા તેઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે તેઓ સરકારના શરણે આવ્યા છે.
અસ્લમભાઈના આક્ષેપ મુજબ તેઓ સાથે મકાનની લેવેચ મામલે માલિકે છેતરપીંડી કરી છે એ તો ઠીક તેઓએ તેમના મકાનના તાળા તોડી તમામ માલસામાન પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું છે. તેઓએ આ બાબતે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જતાં ત્યાં પણ તેઓને વ્યવસ્થિત જવાબ ન મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું..
પોતાની તમામ કમાણી રોકી પોતાનું ઘર ઈચ્છાતા અસ્લામભાઈને તમામ જગ્યાએથી નિરાશા મળતા આખરે તેઓએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત શહેર પોલીસ કમિશનરને લેખિત ઓનલાઈન જાણ કરી આ બાબતે ન્યાય અને મદદ માટે ગુહાર લગાવી છે.
હવે અસ્લમભાઈને સરકાર ન્યાય અપાવશે કે કેમ એ જોવું રહ્યું..હાલ તેઓ તેમના પૈસા પાછા મળી જાય અથવા તેઓને તેમના મકાનના દસ્તાવેજ મળી જાય તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટ અમદાવાદ સંજીવ રાજપૂત
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



