અસારવા નવી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગનો બનાવ.
પાંચમા માળે એસીના ડકટમાં આગનો બનાવ બન્યો.
સવારે લાગેલી આગમાં તાત્કાલિક ફાયર વિભાગ પહોંચીને આગ ને બુજાવી.
સમગ્ર ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની નહીં
એસીમાં સ્પાર્ક થવાથી આગનો બનાવ બન્યો.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) , સિવિલ મેડિસીટી કૅમ્પસ અમદાવાદ દ્વારા બનાવ જે પ્રમાણે જાણકારી આપવામાં આવી હતી .
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના બિલ્ડીંગ ૧-સી ના ટેરેસ પર આવેલ એ.એચ.યુ.ની હિટર કોઈલ આવેલ છે.જે ઓટો મોડમાં હોય છે અને હ્યુમિડીટી વધઘટ સાથે ઓન-ઓફ થતી હોય છે. હ્યુમિડીટી વધી જતાં હિટર કોઈલ કામ કરતી બંધ થતાં તેના લીધે કોઈલની દુર્ગંધ આવી હતી. આથી હોસ્પિટલ ટીમ તરત જ ફોલ્ટનું નિદાન કરી, ફોલ્ટનું સોલ્યુસન કરેલ છે.
હોસ્પિટલના ત્રણ નવા બિલ્ડીંગ ફાયર સેફ્ટીથી સુસજ્જ છે. છતાં પણ સેફ્ટીના ભાગ રૂપે ફાયર બ્રિગેડને જાણ કરેલ છે.
ફાયરબ્રિગેડની ટીમે ઇન્સેપેકસન કરી કોઈ જ ઇસ્યુ નથી તેવી માહીતી આપી છે. હોસ્પિટલમાં બધી જ જાતની સેવાઓ ચાલું છે અને કોઈ જાતનું ફાયર ઇન્સીડન્ટ થયેલ નથી.
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બધા જ બિલ્ડીંગમાં ફાયર એનઓસીથી સુસજ્જ બિલ્ડીંગ છે. ફાયર એન.ઓ.સી. પણ ઉપલબ્ધ છે.
ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તે અંગેની તાલીમ પણ જે ત્રણ દિવસ માટેની હોય છે, જે એક અઠવાડિયા પહેલાં આપવામાં આવી હતી. જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શક્યા છીએ. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ જાહેર જગ્યા ઉપર અગ્નિશામક યંત્ર કાર્યરત છે કે નહીં તેની તપાસ ચાલુ કરી દેવામાં આવેલી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનેલો બનાવ અને સિવિલ હોસ્પિટલ મારફતે જણાવેલ માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી અને દુર્ઘટનાને તરત જ નિવારી શકવામાં સફળતા મળી છે