સમાચાર સારાંશ: કૃષિ સાથે સંકળાયેલી મહિલાઓ ને પ્રાકૃતિક ખેતી માટે ટ્રેઇન કરવામાં આવે છે
માળીયા તાલુકાના ગળોદર મુકામે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા પાંચ દિવસની પ્રાકૃતિક કૃષિ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું

બાઈટ :- પ્રફુલભાઈ સેજલિયા (સુભાષ પાલેકર ખેતી ગુજરાત ના કન્વીનર)
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ગળોદર મુકામે પ્રાકૃતિક ખેતીને ફરી વખત આગળ લઈ આવવા અને લોકો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા સાથે આપવામાં આવી તાલીમ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ના ગળોદર મુકામે શ્રી રામ પ્રાકૃતિક ફાર્મ ખાતે માળીયા તાલુકાની સ્વસહાય જૂથો ની કૃષિ સખીઓ માટે પાંચ દિવસ ની પ્રાકૃતિક કૃષિ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માળીયા હાટીના તાલુકા ની મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે આ પાંચ દિવસીય તાલીમ માં તાલીમ ના માસ્ટર ટ્રેનર મોહનભાઇ પંડિત અને અનિલભાઈ કગથરા દ્વારા પ્રાકૃતિક ખેતી માં કઈ રીતે આગળ વધવું તે માટે માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી
હાલ ના આ આધુનિક યુગ માં આજ ની ખેતી જંતુનાશક દવાઓ ને કારણે ઝેરી બની છે ત્યારે હાલ ના સમય માં પેસ્ટીસાઇજ દવાઓ નો ઉપયોગ કરી ને લોકો ઉત્પાદન તો સારું મેળવે છે પરંતુ આવી ઝેરી દવાઓ ના ઉપયોગ ને કારણે લોકોનું આરોગ્ય પણ બગડ્યું છે અને અનેક રોગો પણ વધ્યા છે ત્યારે હવે લોકો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતા થયા છે જ્યારે આ ખેતી પહેલા જેવી ખેતી છે ત્યારે ભારત ના રાજપાલ શ્રી દ્વારા નારી શક્તિ ને જગાડવાનું કાર્ય કરવામાં આવી રહીયું છે જેમાં કૃષિ સાથે સંકળાયેલી મહિલાઓ ને પ્રાકૃતિક ખેતી માટે ટ્રેઇન કરવામાં આવે છે અને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે ગુજરાત ભર માં શ્રી રાજપાલ દ્વારા ચારશો પચાસ કેમ્પ કરવાનું લક્ષયાંક છે જેના આધારે સાડા બાર હજાર મહિલાઓ ને ત્યાર કરવાના છે
રીપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



