સમાચાર સારાંશ: ભરતભાઈ પરમાર ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણના કાર્યક્રમોમાં સતત સક્રિય છે
પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામ પંચાયતના તલાટી મંત્રી ભરતભાઈ પરમાર રીટાયર્ડ થતાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો

સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે તલાટી કમ મંત્રીમાં ફરજ બજાવતા અને એક્સ આર્મીમેન ભરતભાઈ પરમાર આજે તલાટી કમ મંત્રીની ફરજ પૂર્ણ કરી લોક સેવા કરી આજે સૂત્રાપાડા તાલુકા પંચાયત કચેરીના મથકેથી રીટાયર્ડ થયા હતા .ત્યાંરે ભરતભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો હતો .
જેમાં સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામના તલાટી કમ મંત્રીઓ દ્વારા મોમેન્ટો, શાલ , ગિફ્ટ આપી સન્માન કરાયા હતા .અને એમના નિવૃત્ત જીવનના દિવસો એમના પરિવાર સાથે ખુશાલી પૂર્વક વિતાવે અને તેમનું તંદુરસ્ત શરીર રાખે ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરાઈ હતી. સાથે સાથે ભરતભાઈ પરમાર ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન છે. તેમજ કોડીનાર તાલુકાના સંયોજક હતા અને હવે તે ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક તરીકે પણ કાર્ય કરી રહ્યા છે .તેમનું નિવૃત જીવન પૂજ્ય ગુરુદેવના કાર્યમાં સમર્પિત થાય એવી શુભકામના સાથે ભરતભાઈ પરમારને ભાવભીની ફરજ પરથી વિદાય આપવામાં આવી હતી.
ભરતભાઈ પરમાર ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણના કાર્યક્રમોમાં સતત સક્રિય છે . ગાયત્રી પરિવાર દ્વારા થતા પવિત્ર આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના આયોજનોમાં હમેશા જિલ્લામાં અગ્રણી તરીકે તેમની ઓળખ છે તેમનું નિવૃત જીવન પૂજ્ય ગુરુદેવના કાર્યમાં સમર્પિત થાય એવી શુભકામના સાથે ભરતભાઈ પરમારને ભાવભીની ફરજ પરથી વિદાય આપવામાં આવી હતી.
રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



