સમાચાર સારાંશ: ભાવનગરના ચિત્રકાર અને લલિત કલા અકાદમી દિલ્હીના એજ્યુકેટીવ બોર્ડ મેમ્બર તરીકે ફરજ બજાવતા ચિત્રકાર નીરુપમા ટાંકનું લલિત કલા ગુજરાત રાજ્યની સહાયથી પ્રદર્શન " સર્જન"
જાણીતા ચિત્રકાર નિરુપમા ટાંકનું ચિત્ર પ્રદર્શન સર્જન લલિત કલા ગુજરાત રાજ્યની સહાયથી ચિત્ર પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયું
ભાવનગરના ચિત્રકાર અને લલિત કલા અકાદમી દિલ્હીના એજ્યુકેટીવ બોર્ડ મેમ્બર તરીકે ફરજ બજાવતા ચિત્રકાર નીરુપમા ટાંકનું લલિત કલા ગુજરાત રાજ્યની સહાયથી પ્રદર્શન " સર્જન" તારીખ 9 ,10 ,11 ઓગસ્ટના ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે લલિતકલા અકાદમી રવિશંકર રાવળ કલા ભવનમાં . ચિત્રકાર નિરુપમા ટાંકનું ૧૧ મું વ્યક્તિગત પ્રદર્શન છે. જેમાં તેમણે કરેલા ક્લરપેન્સીલ પોટ્રેઇટ સ્કેચ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા તસવીરકાર વ્રજ મિસ્ત્રી તેમજ ગુજરાત ગૌરવ પુરસ્કૃત દિગ્ગજ ચિત્રકાર દિનુ પટેલ, ચિત્રકાર મનસુખભાઈ કાકડીયા તેમજ નાગજીભાઈ પ્રજાપતિ દ્વારા તારીખ 9 ઓગસ્ટ ના રોજ કરવામાં આવ્યો. નિરુપમા ટાંકની ચિત્રકલા વિષે વાત કરીએ તો આ પહેલા તેમના વ્યક્તિગત પ્રદર્શન ગુજરાતમાં ગોંડલ, રાજકોટ , ભાવનગર અને અમદાવાદ થઈ ચુક્યા છે . જેમાં લોકશૈલી ,પોટ્રેઈટ અને લેન્ડસ્કેપના ચિત્રો પ્રદર્શિત કરેલ.. ગુજરાત બહાર લલિતકલા ગુજરાતની સહાયથી પૂના, ઉદયપૂર અને લખનઉમાં પણ મારા પ્રદર્શન યોજાઈ ચુક્યા છે.
ચિત્રકાર નિરુપમા ટાંકનો પોરબંદરમાં જન્મ થયો છે. તેમનું બાળપણ પોરબંદર, ધોરાજી, વેરાવળ અને ધુવારણમાં પસાર થયું છે તેમનો અભ્યાસ ધોરાજીમાં અને ચિત્રકલાનો અભ્યાસ લગ્ન કર્યા બાદ ભાવનગરથી 2006માં પૂર્ણકર્યો . આ ઉપરાંત ઇન્દોર થી માસ્ટર ઓફ આર્ટ 2021માં રાજા માનસિંહ તોમર યુનિવસિટીમાંથી પૂર્ણ કર્યું અને ભવિષ્યમાં તેઓ ચિત્રકલામાં પીએચડી કરવા માંગે છે . તેમના ચિત્ર પ્રદર્શનની વાત કરીએ તો સાત જેટલા વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન કરેલ છે તેમજ 50 જેટલા ગ્રુપ પ્રદર્શન કરેલ છે. તેમણે રાજ્ય લલિત કલા અકાદમી માં તજજ્ઞ અને નિર્ણય તરીકે સેવા આપેલ છે, તેમજ લલિત કલા અકાદમી દિલ્હીમાં કાર્યકર્તા સદસ્ય તરીકે સેવા આપે છે .દીલ્હી લલિત કલાના રીજોનલ સેન્ટર લખનઉ અને અમદાવાદમાં સદસ્ય તરીકે સેવા આપી પણ આપી રહ્યા છે .ચિત્રકલાની લગતી દરેક પ્રવૃત્તિમાં તેઓ સતત કાર્ય કરતા રહે છે ફોક આર્ટ, લેન્ડસ્કેપ અને પોટ્રેટમાં અલગ અલગ માધ્યમને પસંદ કરીને સર્જન કરે છે .
આ ઉપરાંત ભાવનગર કલા સંઘ અને સંસ્કાર ભારતીમાં પણ કાર્યકર્તા તરીકે સેવા આપે છે . તેઓ ગુજરાત આર્ટ સોસાયટીના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે . તેઓ મ્યુઝિયમ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્ય પણ છે .આ રીતે સતત 30 વર્ષથી ચિત્રકલા સાથે અને આર્ટ એન્ડ ક્રાફ્ટ સાથે જોડાયેલા છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



