સમાચાર સારાંશ: આજે અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપતા ગણેશ વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે, આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે.
અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત પણ જાણી લો અનંત ચૌદસના રોજ ભક્તો દુંદાળા દેવને વિદાય આપશે. અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી
આજે અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપતા ગણેશ વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે, આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે.

આ ગણેશ ઉત્સવ દરમિયાન જો તમે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો અનંત ચતુર્થીના દિવસે વિધિ પ્રમાણે અને શુભ સમયે બાપ્પાનું વિસર્જન ઘરે કેમ કરવું અને અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત પણ જાણી લો.
અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે 4 શુભ સમય (ગણેશ વિસર્જન 2024 શુભ સમય)
પ્રથમ મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - સવારે 09:11 - બપોરે 01:47
બપોરનું મુહૂર્ત (શુભ) - બપોરે 03:19 - સાંજે 04:51
સાંજના મુહૂર્ત (લાભ) - સાંજે 07:51 - રાત્રે 09:19
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - રાત્રે 10:47 - રાત્રે 03:12 (18 સપ્ટેમ્બર)
આ પણ વાંચો: વાંચો તમારું 17 સપ્ટેમ્બર, 2024નું રાશિ ભવિષ્ય
ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું?
જેમ આપણે પ્રવાસ પર જતાં પહેલા પરિવારના સભ્યોને ખુશીથી વિદાય આપીએ છીએ, તેવી જ રીતે ભગવાન ગણેશને વિદાય આપતી વખતે પણ આપણે તે જ રીતે વર્તવું જોઈએ. આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક, પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે માફી માગી લો અને પછી સુખ અને સમૃદ્ધિની કામના કરો. બાપ્પાની વિદાયને નદી, તળાવમાં વિસર્જિત કરવાને બદલે તમે તેને ઘરે જ વિસર્જિત કરી શકો છો.
ગણેશ વિસર્જનના દિવસે બાપ્પાની વિધિવત પૂજા કરો, કુમકુમ, હળદર, મહેંદી, મોદક, ફૂલ વગેરે ચઢાવીને આરતી કરો.
ગણપતિની સાઇઝને ધ્યાનમાં રાખીને ડોલ કે ટબ લો. તેને સારી રીતે સાફ કરો.
ગણપતિનું વિસર્જન કરવા માટે ડોલમાં પૂરતું પાણી રેડો.
બાપ્પાની મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય પછી આ પાણીને વાસણમાં નાખો. બાપ્પાની મૂર્તિની જમીનમાં છોડના બીજ વાવી શકાય.
જ્યારે ગણપતિ વિસર્જન માટે લઈ જવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓને એક બંડલમાં બાંધીને ગણેશજીની સાથે વિસર્જન કરો.
ભગવાન ગણેશની મૂર્તિ હોય કે પ્રતિમા, તેને ધીમે ધીમે પાણીમાં ડૂબાડો. અચાનક છોડશો કે ફેંકશો નહીં.
દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ઘર, મહોલ્લા, અને ફળિયા સહિત જાહેર પંડાલોમાં બિરાજમાન બાપ્પાની 9 દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ દસમા દિવસે ગજાનંદને વિદાય આપવાની હોય છે.
ત્યારે મંગળવારે (17મી સપ્ટેમ્બર) અનંત ચૌદસના રોજ ભક્તો દુંદાળા દેવને વિદાય આપશે. આ દરમિયાન અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. બપોરના 1 વાગ્યાથી શહેરના અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. ગણપતિ વિસર્જનને લઈને આજે (17મી સપ્ટેમ્બર) બપોરે 1 વાગ્યાથી કેટલાંક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને તે રસ્તાને બદલે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. જેમાં એસ.ટી. ગીતા મંદિરથી જમાલપુર બ્રિજથી સરદાર બ્રિજ પાલડી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે.
જ્યારે આ માટે વાહન ચાલકોએ જમાલપુર બ્રિજથી બહેરામપુરા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી પાલડી જઈ શકાશે. એસ ટી (ગીતામંદિર)થી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર ઇન ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે.
જેના વિકલ્પમાં એસટીથી ભુલાભાઇ ચાર રસ્તાથી કાંકરિાય ચોકીથી અનુપમ સિનેમાથી સરસપુર બ્રિજને ક્રોસ કરીને રેલવે સ્ટેશન અને નરોડા તરફ જઇ શકાશે. કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજાથી એલિસ બ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેથી કાલુપુરથી આવતા વાહન ચાલકોને કાલુપુર સર્કલથી આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલના રસ્તાથી ઝઘડિયા બ્રિજ થઇને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા સુધી જઇ શકાશે.
કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવર બ્રિજ થઇને સારંગપુર સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉફરાંત રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



