હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.'

Posted 2 years ago with 25 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, 'જે રીતે રાહુલ ગાંધી અમેઠી છોડીને ગયા છે, તેનાથી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ ઘટી ગયું છે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.'
1/1

કોંગ્રેસ (congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાયબરેલી લોકસભા બેઠકથી શુક્રવારે (ત્રીજી મે) ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા અને કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krishnam)એ રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.'

?ref_src=twsrc%5Etfw">April 27, 2024

કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, 'જે રીતે રાહુલ ગાંધી અમેઠી છોડીને ગયા છે, તેનાથી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ ઘટી ગયું છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહી નથી, તે હવે તેમના સમર્થકોના હૃદયમાં જ્વાળામુખીનું રૂપ લઈ રહી છે જે ચોથી જૂન પછી ફૂટશે. કોંગ્રેસ ફરી બે ભાગમાં વહેચાઈ જશે. એક રાહુલ ગાંધીનો હશે, જ્યારે બીજો પ્રિયંકા ગાંધીનો હશે. મને લાગે છે કે રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.'

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. લોકસભા ચૂંટણી 2019માં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા, પરંતુ અન્ય વાયનાડ બેઠક પર જીત મેળવી હતી. આ વખતે પણ એવી અટકળો હતી કે ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડશે, પરંતુ વાયનાડ સિવાય પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કિશોરી લાલ શર્માને અમેઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જો કે, પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.