સમાચાર સારાંશ: ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં મોટી સંખ્યામાં સપા અને કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા.
પ્રયાગરાજમાં રેલી દરમિયાન ભાગદોડ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ રાજ્યમાં રેલીઓ સંબોધી હતી. સભામાં ભાગદોડ થયો હતો. કાર્યકરો બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
કાર્યકર્તાઓએ બેરિકેડ્સ તોડી મંચ તરફ પ્રવેશ કર્યો હતો. અને મંચ પર ચડી ગયા. જેના કારણે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ નારાજ થયા હતા . આ બંને નેતાઓ કંઈ બોલ્યા વિનાજ મંચ પરથી રવાના થયા હતા
અખિલેશ યાદવે કહ્યું કે ઈડી અને સીબીઆઈ બંધ થવા જોઈએ. જો કોઇ છેતરપિંડી કે કૌભાંડ કરશે તો તપાસ કરવા માટે આવકવેરા વિભાગ છે. તે તપાસ જોઈ લેશે, સીબીઆઈની શું જરૂરી છે? દરેક રાજ્યમાં એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ પણ છે. જરૂર પડશે તો તેનો ઉપયોગ કરાશે. ભાજપ દ્વારા ઈડી-સીબીઆઈનો ઉપયોગ પણ રાજકીય લાભ ખાટવા માટે જ કરવામાં આવી રહ્યો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



