સમાચાર સારાંશ: હુમલામાં પાંચ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ વર્ષે ફોર્સ પર આતંકવાદીઓનો આ પહેલો મોટો હુમલો છે
જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર આતંકવાદી હુમલો હુમલામાં પાંચ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ વર્ષે ફોર્સ પર આતંકવાદીઓનો આ પહેલો મોટો હુમલો છે.
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'બટાગુંડ વેરિનાગ વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સેનાનું વાહન સીધું ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક જવાન શહીદ અને નવ જવાન ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



