સમાચાર સારાંશ: ગુજરાતના અમુક એરિયામાં શાળાઓની દિવાલ પણ પડી જાય તેવી પરિસ્થિતિ છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ
'આપ' નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ કરી.
ભાવનગર શહેરની શાળાઓમાં મૂળભૂત જરૂરિયાતવાળી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી: રાજુભાઈ સોલંકી
ગુજરાતની સરકારી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી અને પીવાના પાણીની અને ટોયલેટની સુવિધાઓ પણ ઓછી છે અથવા ઉપલબ્ધ જ નથી: રાજુભાઈ સોલંકી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી. આ મુલાકાતમાં શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, અશ્વિન સિહોરા, હંસાબા ડોડીયા, જયદીપ ખસીયા સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જોવા મળ્યું કે ભાવનગર શહેરની શાળાઓમાં મૂળભૂત જરૂરિયાતવાળી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. હાલ ચોમાસુ શરૂ થયું છે અને વરસાદના કારણે શાળામાં બાળકોને ખૂબ જ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાજપ સરકાર વર્ષોથી પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી રહી છે અને બેટી પઢાઓના નારાઓ આપી રહી છે, પરંતુ આજે ગુજરાતની વાસ્તવિકતા એવી છે કે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે. મોટાભાગની શાળાઓમાં પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી પીવાના પાણીની અને ટોયલેટની સુવિધાઓ પણ ઓછી છે અથવા ઉપલબ્ધ જ નથી.
જો આવી પરિસ્થિતિ હશે તો બાળકો કઈ રીતે શાળાએ ભણવા માટે આવશે. ઘણી બધી શાળાઓ જર્જરી હાલતમાં છે અને ગુજરાતના અમુક એરિયામાં શાળાઓની દિવાલ પણ પડી જાય તેવી પરિસ્થિતિ છે.
તો જો આ ચોમાસામાં આવી કોઈ પણ ઘટના ઘટે છે તો તેનો જવાબદાર કોણ? સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે પૂરતા પ્રમાણમાં ઓરડાઓ બનાવવામાં આવે અને પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



