સમાચાર સારાંશ: લોકસભામાં વિપક્ષના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી મમતા બેનરજી પ્રત્યે હંમેશા આક્રમક રહેવાને કારણે પોતાની જ પાર્ટીમાં અલગ પડી રહ્યા છે.
અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરાઈ
ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો
ચાલો રામના ઘરે આવી જાઓ : ભાજપ
લોકસભામાં વિપક્ષના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી મમતા બેનરજી પ્રત્યે હંમેશા આક્રમક રહેવાને કારણે પોતાની જ પાર્ટીમાં અલગ પડી રહ્યા છે. જોકે હવે મમતા બેનરજીને લઈને ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો છે અને અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાવવા ઓફર કરી દીધી છે. ખડગેના નિવેદન બાદ ભાજપે આ તક ઝડપી લીધી અને બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે અધીર રંજન ચૌધરીને પાર્ટી બદલવાની ઓફર કરી. સુકાંત મજુમદારે કહ્યું, 'હું અધીરદાને કહીશ કે જો તમે મમતા બેનરજી સામે લડવા ઈચ્છો છો તો કોઈ યોગ્ય જગ્યા શોધો. તમે જે ઘરમાં છો તે ભયાનકતાઓથી ભરેલું છે. ભયાનકતાનું ઘર છોડો. ચાલો રામના ઘરે આવી જાઓ.
પ.બંગાળમાં છેલ્લાં ઘણાં સમયથી મમતા બેનરજી અને અધીર રંજન ચૌધરી વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જેના લીધે જ I.N.D.I.A. ગઠબંધનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે હવે આ મામલે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નિવેદન આપીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેના લીધે ખડગે અને અધીર રંજન ચૌધરી વચ્ચે બોલાચાલી કે બબાલ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીનું નામ લીધા વિના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



