સમાચાર સારાંશ: સિંહના મૃત્યુ ભારે વરસાદમાં વોંકળામાં આવેલા પાણીના પ્રવાહ તણાયા
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સિંહના આકસ્મિક મૃત્યુ સમાચાર સામે આવતાજ ખળભળાટ વનવિભાગની ટિમ ઘટના સ્થળે મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યું
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સિંહના આકસ્મિક મૃત્યુના સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે સિંહના મૃત્યુ ભારે વરસાદમાં વોંકળામાં આવેલા પાણીના પ્રવાહમાં દબાઈ જવાને કારણે થયા હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે .
માળીયા તાલુકાના ખોરાસા ગીર અને પાત્રા ગીર વચ્ચે વોકળાના પુલ પાસેની ઘટના સામે આવી છે .
હાલ ચોમાસાનો માહોલ છે ત્યારે સિંહ જંગલ વિસ્તાર બહાર ખેતી લાયક વિસ્તાર માં જોવા મળતા હોય છે ત્યારે વાળી વિસ્તાર પાસેની ઘટના
ઘટનામાં બે બાળ સિંહ અને એક સિંહણ ની મૃત્યુ થયાની આશંકા
હાલ વન વિભાગની ટિમ ઘટના સ્થળ પર
જ્યારે આ સિંહો પુરના પ્રવાહમાં વોકળા નીચે દબાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક અનુમાન
જ્યારે હાલ ઘટના સ્થળ પર મીડિયાને કવરેજ કરવા પર રોક લગાવવામાં આવી છે .જ્યારે વન વિભાગ ના અધિકારી RFO ચૌધરી સાથે વાત કરતા ચોખ્ખી મનાઈ કરી દેવામાં આવી ત્યારે વન વિભાગ દ્વારા કૈક છુપાવતું હોય તેવું દેખાઈ રહ્યું છે
જ્યારે હાલ સિંહણના મૃતદેહ એક દમ દુર્ગન્ધ મારી રહ્યા છે ત્યારે કેટલા દિવસ થી મૃત્યુ પામ્યા હોય તે કહેવું મુશ્કેલ છે જ્યારે આસપાસના લોકોમાં જાણવા મળી રહ્યું છે કે આ સિંહો 6 દિવસથી મૃત્યુ પામ્યા હોય જેને કારણે દુર્ગન્ધ મારી રહ્યા છે
આપને જણાવી દઈએ કે તાજેતરમાં છેલ્લા બે દિવસથી માળીયા હાટીના તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે . ગીરના જંગલ વિસ્તારમાં નદીઓ વરસાદી પાણીના પ્રવાહ બે કાંઠે જોવા મળ્યા છે . સાર્વત્રિક વરસાદ આ પંથકમાં જોવા મળતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે .
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



