સમાચાર સારાંશ: ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે
ગાંધીનગર જિલ્લાના અલુવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ.1માં બાળકોને પ્રવેશ અપાયો
બાળકોના ભણતર અને ઘડતરના એક અભિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકો સરકારી સ્કૂલમાં દાખલ થાય એ પ્રયાસ હેતુ ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના અલુવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું,

જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ.1માં બાળકોને પ્રવેશ અપાયો હતો.ત્યારબાદ એક પેડ “માં” કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌને પર્યાવરણનું જતન કરવા માટે આહ્વવાન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સોનલબેન બારોટ, જિલ્લા પંચાયત સદસ્ય અજીતસિંહ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. દાતા નરેન્દ્રસિંહ રાઠોડ તરફથી પ્રવેશપાત્ર બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાના ઉમદા હેતુથી વર્ષ-૨૦૦૩માં પ્રથમવાર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાનું વચન માંગ્યું હતું. જેને આજે કન્યા કેળવણીના માધ્યમથી સાકાર કરવામાં આવી રહ્યું છે. ‘ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.
સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યુ છે.દ્વારા સરકાર પૂરું પાડે છે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન થયું છે તથા શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



