સમાચાર સારાંશ: મુકેશ પંડ્યાને આ કલાકૃતિનું સર્જન કરતા બે મહિનાનો સમય લાગ્યો
અમદાવાદના આર્ટિસ્ટની કમાલ ! જુઓ રથયાત્રાની કલાકૃતિ દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ
રથયાત્રાની કલાકૃતિ ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં
મિનીએચર આર્ટ દ્વારા આર્ટિસ્ટની કમાલ
દોઢ ઇંચની સાઈઝના રથમાં બેઠા ભગવાન જગન્નાથ
ભગવાન જગન્નાથની નગર ચર્યા અને રથયાત્રાની કાગડોળે રાહ જોવાય છે. શહેરના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને જય રણછોડના નારા સાથે શહેરની ગલીયો ગુંજે છે. ત્યારે અમદાવાદ શહેરના મીનીયેચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ અમદાવાદની રથયાત્રાનું ફક્ત 20 ઇંચ બાય 30 ઇંચમાં રંગીન દોરીના માધ્યમથી રથયાત્રાની પ્રતિકૃતીનું સર્જન કર્યું છે.
મુકેશ પંડ્યાને આ કલાકૃતિનું સર્જન કરતા બે મહિનાનો સમય લાગ્યો છે.
દોઢ ઇંચની સાઈઝના ત્રણ રથમાં અનુક્રમે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવના રથ અને ઉપરાંત સાધુ સંતો ,ભક્તો, ભજન મંડળી, પોલીસ પોઇન્ટ , મહિલા મંડળ, ઊંટ લારી પર અખાડા વગેરે આબેહૂબ રીતે દર્શાવ્યા છે. ખાસ વિશેષ બાબત તો એ કહી શકાય કે આ મીનિયેચર આર્ટ રથયાત્રામાં દરેક મનુષ્યની સાઈઝ ફક્ત 2 સેન્ટીમીટર એટલે કે આંગળીના એક વેઢા જેટલી છે. આ કલાકાર જગન્નાથ મંદિરમાં મહંત શ્રી ને મિનીયેચર રથ યાત્રા ભેટ પણ આપી છે. આ આર્ટિસ્ટ વિષે વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આર્ટિસ્ટ મુકેશ પંડ્યા આર્ટ દ્વારા ક્રિએટિવિટીની સુંદર કલા કૃતિઓ પેપર કટિંગ થી અલગ અલગ લેયરમાં પોટ્રેઈટ બનાવવું અને ભારતીય સંસ્કૃતિમાં આવતા દરેક તહેવારમાં મેચ સ્ટિક આર્ટ દ્વારા સંદેશો આપીને સુંદર કલાકૃતિઓ રજુ કરવીએ મુકેશ પંડ્યાની વિશેષ ઓળખ છે .
જાણીતી હસ્તીઓના પેપર કટિંગ આર્ટ થી પોટ્રેઈટ તેમના જન્મ દિવસે બનાવીને કલારસિકો સમક્ષ રજુ કરે છે . કલારસિકો તેમની કલા જોઈને અચંબિત થઇ ગયા હતા
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



