સમાચાર સારાંશ: 400 ઉપરાંત કિલોમીટરની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12 મા દિવસે અંબાજી પહોંચે છે.
અંબાજી આવતો 23 વર્ષથી આ સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સંઘ માઅંબાના ધામમાં પહોંચ્યો
ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. છેલ્લા 23 વર્ષથી આ રીતે રાજકોટનો રજવાડીસંઘ અંબાજી આવીને મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે. 400 ઉપરાંત કિલોમીટર ની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12 મા દિવસે અંબાજી પહોંચે છે.

પ્રખ્યાત રાજકોટ નો પગપાળા સંઘ આજે અંબાજી મંદિર મા પહોંચ્યો હતો. રજવાડી સંઘ તરીકે ઓળખાતો ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા રાજકોટના સંઘ ના પદયાત્રીઓ એ મા અંબાના ચાચર ચોકમાં ગરબા કર્યા હતા ઉપરાંત તલવારબાજી પણ કરી હતી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો.
પહેલા જ્યારે આ સંઘની પદયાત્રાની શરૂઆત થઈ ત્યારે ડ્રેસ કોડ વગર આ સંઘ નીકળતો હતો પરંતુ તેમના ગુરુજીના અને મા અંબાના આશીર્વાદ બાદ હવે સંઘ ના તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરે છે
15 દિવસ સુધી વિવિધ પોતાના દારા બનાવેલ રજવાડી વસ્ત્રો ધારણ કરી અને રાજકોટ થી અંબાજી સુધી પદયાત્રા કરી અંબાજી પહોંચી મા અંબાના દર્શનની ધન્યતા અનુભવે છે.
સંઘમાં જોડાયેલ મહિલાઓનું કહેવું છે કે માતાજીને શોળે શણગાર ગમે છે જેથી અમે પણ માતાજી ને ગમતું અને અમને પણ દરરોજ અલગ અલગ શણગાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. જયારે પણ આપને ઘરે કોઈપણ ઉત્સવ કે પ્રસંગ હોય છે ત્યારે સરસ રીતે તૈયાર થતા હોઈએ છીએ ત્યારે આ માતાજી નો મહાઉત્સવ છે ત્યારે માતાજી ને ગમતા ડ્રેસમા દર રોજ પગપાળા સંઘ મા બોલ મારી અંબે જય જય અંબે ની સાથે આજે અમે માતાજી ના ચાચર ચોક મા આવ્યા છીએ.
માતાજી નો એક એવો આશીર્વાદ અમારા સંઘ ના ઉપર છે કે અમે 400 કિલોમીટર ની પદયાત્રા કરીને અંબાજી 12 દિવસે અંબાજી આવીએ છીએ છતાં અમને લાગે છે કે અમે કાલે નીકળ્યા હોય અને આજે અંબાજી મંદિરમા પહોચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



