સમાચાર સારાંશ: અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કારણ કે, જો કમોસમી વરસાદ ખાબકે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે સાથો સાથ ખેતીપાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે
ખેડૂતો માટે મહત્વની આગાહી રિંગણ સહિતના પાકનો સોથ વાળી દેશે કમોસમી વરસાદ, ઈયળોનું થશે આક્રમણઃ અંબાલાલની આગાહી
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે, ત્યારે અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે.
પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે. દરમિયાન રાજ્યમાં આગામી 2 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
કડકડતી ઠંડી વચ્ચે હવે કમોસમી કમઠાણ એટલે કે, માવઠાની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
કારણ કે, જો કમોસમી વરસાદ ખાબકે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે સાથો સાથ ખેતીપાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે છે. તારીખ 27 ની આસપાસ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા . માવઠાને કારણે શિયાળુ પાક અને લીલા શાક્ભાજીની ખેતીમાં વિવિધ રોગ આવે તેવી શક્યતાઓ વધી જશે જેને કરને ખેડૂતોએ ખાસ સાવચેત રહેવું જોઈએ ..
ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે..સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં, ઉત્તરગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, દમણ, નવસારી,તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે..આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



