સમાચાર સારાંશ: જામ ખંભાળીયાના નગર પાલિકા વિસ્તારમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય સ્વરછ ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતી જામ ખંભાળિયા નગરપાલિકા.
બેનર લગાવીને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર
જામ ખંભાળીયાના નગર પાલિકા વિસ્તારમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય સ્વરછ ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતી જામ ખંભાળિયા નગરપાલિકા.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા એક દાયકાથી સ્વચ્છતા અભિયાન ચલાવીને જનજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં આ કાર્યને સફળતા પણ મળી છે પરંતુ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામ ખંભાળિયામાં જાણે સ્વચ્છતા અભિયાનની વાત તંત્રના બહેરા કાને પહોંચી નથી તેવું લાગી રહ્યું તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરની સ્થાનિક જનતા આ વાત બરાબર જાણે છે

સ્થાનિક તંત્ર મોટી મોટી મોટી ગુલબાંગો પોકારતું હોય પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે શહેરીજનો ગંદકીથી ત્રાહિમામ થઈ ગયા છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા શહેરમાં અનેક વિસ્તારોમાં ઘણા સમયથી કચરાના ઢગલાઓથી ફેલાતી ગંદકી અને રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે પાલિકા તંત્ર કુંભ કરણ માફક નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો ગંદકી ને લઇને જોવા મળી રહ્યા છે
શહેરના રામનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો દ્વારા અવાર નવાર પાલિકામાં રજુઆતો પણ કરવામાં આવી છે. શહેરીજનોની રજુઆતો છતાંયે શહેરમાં ગંદકીનાં ઢગલા જૈસે થે વૈસે હી પરીસ્થિતિ સામે આવી રહી છે. લોકોની રજુઆતો ને ધ્યાને લઇને પાલિકા દ્વારા બેનર મારી ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરીને લોકોને લોલીપોપ જેવું આશ્વાસન આપવામાં જામ ખંભાળિયાનું પાલિકા તંત્ર માહિર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે..
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



