હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ અંદાજીત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

Posted 1 year ago with 19 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ધૂન બોલીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ અંદાજીત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
1/2
વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ અંદાજીત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
2/2

વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ અંદાજીત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે (27મી જૂન) સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા 12 જેટલા મુદ્દાઓને ટાંકીને અંદાજીત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ધૂન બોલીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામા આવી હતી કે, 'અમે તમામ હરિભક્તો વડતાલ સંપ્રદાયના છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાનું બંધારણ છે અને તે અનુસાર વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો સહિતના તમામ બંધાયેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ભાગવતી દિક્ષા અંગીકાર કરેલી છે. સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરે છે. પરંતુ સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી. 

સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા હોવા છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપતિ એકઠી કરે છે.'સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કર્યા હતા. આ આવેદનપત્રમાં આક્ષેપો કર્યા હતા કે, 'મહિલાઓ સાથે બોલવું નહીં, મહિલાઓનું મુખ જવું નહીં, તેમના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક ભગવા વસ્ત્રની આડમાં દુષ્કર્મ આચરી અસામાજિક, ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે. કાયદા મુજબ સગીર જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી. તેને દિક્ષા આપીને કેવી રીતે સાધુ બનાવી શકાય તેવા વેધક સવાલ પુછ્યા હતા. છતાં સગીર બાળકોને શિક્ષણના કહેવાતા ગુરુકુળોમાં લલચાવીને લાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરે છે'400થી વધુ હરિભક્તએ નડિયાદ શહેરમાં એક કિ.મી.ની રેલી યોજી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચી ધૂન બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અમે રજૂઆત કરવા જઈએ તો અમારા ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરી છે. 

જેથી આ સંદર્ભે અમે ચરોત્તરના વડતાલ સંપ્રદાયની 400થી વધુ હરિભક્તો ભેગા થયા છીએ અને રજૂઆત કરી છે.'હરિભક્તોએ નૌતમસ્વામી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ નૌતમસ્વામી અનેક બાબતોમાં વિવાદોમાં આવતા હરિભક્તોમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. હરિભક્તોએ પોતાના હાથમા બેનરો લઈ ઊભા હતા, જેમાં નૌતમ લખ્યા બાદ તેની પાછળ સ્ટીકર મારી દઈને સ્વામી શબ્દ છુપાવી દીધો હતો. તેમજ નૌતમને ભગાવો, સંપ્રદાયનું બંધારણ બચાવો તેવું વાક્ય લખ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.