સમાચાર સારાંશ: તમામ દર્દીઓને બાવળા અને સાણંદની સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર માટે દાખલ
અમદાવાદના સાણંદ તાલુકના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવતા ખળભળાટ તમામ સારવાર હેઠળ
અમદાવાદના સાણંદમાં ફુડ પોઈઝનિંગની ઘટના ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયુ હોવાની માહિતી સામે આવી 50 થી 60 લોકોને ફૂડ પોઈઝનિંગ , તમામ સારવાર હેઠળ
અમદાવાદના સાણંદમાં ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના અણીયારી ગામની ઘટના છે. નોંધનીય છે કે, ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયુ હોવાની માહિતી સામે આવી છે.રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે
.મળતી જાણકારી પ્રમાણે ખમણ ખાવાથી 50 થી 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. અત્યારે તમામ દર્દીઓને બાવળા અને સાણંદની સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અચાનક ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું છે.
શહેરમાં અત્યારે ખાવામાં અનેક પ્રકારની વાસી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નોંધનીય છે કે, જમવામાં યોગ્ય કાળજી રાખવી ખુબ જ આ જરૂરી છે. પણ કેટલાક લોકો માત્ર પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. અમદાવાદ વડોદરા અને ભરૂચમાં આવી ઘટના બનવા પામી હતી.
ક્યારેક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેમાં ફૂડ પેકેટમાં જીવાત ,દેડકા ,ફૂગ મળી
આવવાના સમાચાર પણ પ્રકાશ આવે
છે ત્યારે ખાદ્યપદાર્થોની શુધ્ધતા પર કેટલો ભરોસો ? આ બાબતે ગ્રાહકે ફરિયાદ કરવી હોય તો શું કરવું ? ફરિયાદીએ પુરાવામાં શું આપવું ? ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પર દંડની જોગવાઈ કેટલી છે
ફૂડ પોઈઝનથી મૃત્યુ થાય તો ફરિયાદ કરી શકાય છે .
અમદાવાદના સાણંદ તાલુકના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. ખાનગી હોસ્પિટલમાં 6 ને સારવાર માટે ખસેડાયા છે. તો 12 અસરગ્રસ્તોને બાવળા આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડયા છે. 10 લોકોને સાણંદ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા અને 21 લોકોને અણિયાળી ગામમાં જ સારવાર અપાઈ રહી છે. ખમણ ખાવાથી ફૂડ પોઈઝનીગ થયું હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ તાલુકા આરોગ્ય વિભાગની ટિમો અણિયાળી ગામ પહોંચીની ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે. સાંજના સમયે એક સાથે કેટલાક લોકોને ઊલટીઓ થવા લાગતા મામલો સામે આવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



