સમાચાર સારાંશ: ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું આચાર્ય દ્વારા સમગ્ર ગામ જોંગ પત્ર લખ્યો પરંતુ તંત્રને જાણ નહીં હોવાનું અધિકારીએ નૈનયો ભણ્યો રિપોર્ટ ફારૂક કાઝી ઉના
ઉના તાલુકાના ઉમેજ ગામે પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન અસામાજિક તત્વોએ માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું
આચાર્ય દ્વારા સમગ્ર ગામ જોંગ પત્ર લખ્યો પરંતુ તંત્રને જાણ નહીં હોવાનું અધિકારીએ નૈનયો ભણ્યો

ઉમેજ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન કોઈ તત્વો દ્વારા શાળા નાં દરવાજા નાં તાળાં તોડી ને શાળા નાં રૂમોમાં પ્રવેશ કરી બાળકો ના રમત ગમત અને સંગીત સાધનોની તોડ ફોડ કરી પીવા પાણી ની પાઈપ લાઈન તોડી સમસ્યા ઊભી કર્યા અંગે આચાર્ય દ્વારા એક સમગ્ર ગ્રામજનોને પત્ર લખાયો હતો
આ બાબતે આચાર્ય દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં થયેલી નુકસાની બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ને કોઈ જાણ નહીં કરી હોવાનો નૈનયો કુટયો હોવાનું જાણવા મળ્યું છે .વેકેશન દરમિયાન શાળાની માલમિલકતને નુકસાન અંગે આચાર્ય દ્વારા ઉમેજ પ્રાથમિક શાળા નું સત્ર પુરૂં થતાં પ્રથમ દિવસે તારીખ 9/6/2025 ના જોવાં મળ્યું હતું શાળાની મિલકતને કોઈ તત્વો દ્વારા નુકસાન પહોંચાડી ને એક રૂમનું તાળું તોડીને રૂમમાં રહેલ તમામ વસ્તુ વેર વિખેર કરી નાખી શાળાનું મોટું ડ્રમ બંને સાઈડથી તોડી નાંખ્યું હતું અને મેન પાણીની પાઇપ લાઇન તોડી નાખતા બાળકોને પીવાના પાણીની સમસ્યા ઉભી થયેલ છે.
ગ્રાઉન્ડમાં વાવેલાં વૃક્ષો તેમજ ફૂલ છોડ સી.સી કેમેરાની લાઈન ને પણ નુકસાન કર્યું હતું સ્ટોર રૂમનું તાળું તોડીને માત્રને માત્ર નુકસાન કરવાની ભાવનાથી રૂમમાં રહેલો તમામ સામાન તોડી અસ્તવ્યસ્ત કરી નાખતા આ બાબતે ગ્રામ પંચાયત ને જાણ કરેલ હોય તેમજ ઉમેજ ગામના તમામ ગ્રામજનોને સંબોધન કરીને શાળાના રજાના દિવસોમાં શાળામાં રમવા આવવાનું કે શાળામાં દાખલ થવાનું કે અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે ફોજદારી પગલાં લેવામાં આવશે તેવો પત્ર ગ્રામજનોમાં પાઠવતા ભારે ચકચાર ફેલાઇ છે
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી પ્રાથમિક શાળામાં થયેલી નુકસાની બાબતે પોલીસ કે શિક્ષણ વિભાગ ને પ્રથમ જાણ કરવાંની આચાર્યની જવાબદારી બનતી હોવા છતાંય કોઇ જાણ નહીં કરી હોવાનું તાલુકા શિક્ષણ અધિકારીએ નૈનયો ભણ્યો હોવાનું જણાવી પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું .
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



