સમાચાર સારાંશ: જૂનાગઢ જિલ્લા માં બાયો ડીઝલ શરતો અને નિયમો તેમજ NOC વગર વેચવામાં આવી રહીયું છે
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા આવેદન આપી NOC વગર ચાલતા પંપ બંધ કરવાની કરી માગ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે આજે જૂનાગઢ જિલ્લા પેટ્રોલીયમ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ જૂનાગઢ જિલ્લા માં બાયો ડીઝલ શરતો અને નિયમો તેમજ NOC વગર વેચવામાં આવી રહીયું છે
ત્યારે ધ ગેજેટ ઓફ ઇન્ડિયા ના પરિપત્ર માં લખાયેલા નિયમોનું કોઈ પાલન કરવામાં નથી આવી રહ્યું અને NOC લીધા વગરજ બાયો ડીઝલ નું વેચાણ કરવામાં આવી રહીયું છે ત્યારે રાજપત્રમાં લખાયેલ નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે
બાઈટ :- મનસુખભાઇ સોલંકી પેટ્રોલ પમ્પ ધારક
જ્યારે આ બાયોડિઝલના નામ પર LDO તથા અન્ય જવલનશીલ પદાર્થો મિશ્રણ કરી વેચવામાં આવી રહીયું છે
હાલ બાયોડિઝલ નો સ્ત્રોત આખા ભારત માં બહુજ સીમિત છે અને તેથી તેનું પ્રોડક્શન બહુ અઘરું છે તેમજ પુરવઠો સીમિત છે જેથી ઓછી માત્રા માં વધુ વેચાણ થતું હોય તેવું દેખાય રહીયું છે ત્યારે આમના પર તત્ષ્ટ તાપસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા આવેદન આપી NOC વગર ચાલતા પંપ બંધ કરવાની કરી માગ
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ વિક્રેતા ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે હજુ પણ જુનાગઢ જિલ્લામાં 35 થી વધુ જગ્યા પર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની પેટ્રોલપંપ એસોસિયેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેને લઈ આજે જુનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ બાયો ડીઝલ પંપ અથવા તો વાહન માલિક બાયો ડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી. THE GAZETTE OF INDIA ના પરિપત્ર F.No.P-13039(18)/1/2018-CC(P- 26825) મુજબ બાયો ડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં નિમણૂક પાલન કરતા નથી.તેમજ રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડીપાર્ટમેન્ટની તમામ એન.ઓ.સી લીધા વગર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે બાયોડીઝલના નામ LDO તથા અન્ય જલ્લનશીલ પદાર્થ મીશ્રણ કરી વેચાણ કરવામાં આવે છે.ત્યારે બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુજ સીમીત છે. જેથી તેનું પ્રોડકશન કરવુ ખુબજ અધરૂ છે તથા બહુજ સીમીત પુરવઠો છે ત્યારે બાયો ડીઝલમાં અન્ય પદાર્થ મીશ્રણ કરવામાં આવે છે.બાયો ડીઝલ પંપ વિક્રેતાઓ બાયો ડીઝલ કયાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા રાખતા નથી કે લેતા નથી અથવા તેના એકના એક બીલ પર ખરીદી બતાવ્યા રાખે કે વેચાણ બતાવ્યા રાખે છે.જેને લઈ જેથી સરકારને જી.એસ.ટી.માં મસ મોટી નુકશાની જાય છે.અને જેના લીધે કાયદેસર ડીઝલ પંપ વીક્રેતાઓનું પણ વેચાણ ઘટે છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-- જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



