સમાચાર સારાંશ: પ્રદર્શન નાં પ્રારંભે જ રૂપિયા ૮૭,૦૦૦/- નાં ચિત્રોનું વેંચાણ થયું.
વાપી ખાતે "અર્ચન" ,ગણેશજીનાં ચિત્રોનુ પ્રદર્શન યોજાયું . "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા"નો એવોર્ડ મેળવનાર ડૉ.આશાબેન ગાંધીએ ૧૨૫ દિવસમાં ૧૨૫ શ્રી ગણેશજીનાં ચિત્રોનુ કર્યું હતું સર્જન .

આજ રોજ સવારે ૧૧:૦૦ વાગે,"અર્ચન", ડૉ.આશાબેન ગાંધીનાં ૧૨૫ ગણેશજીનાં ચિત્રોનુ પ્રદર્શન મુખ્ય મહેમાન પદ્મ ગફૂરભાઈ બિલખિયા, અતિથિ વિશેષ ચિત્રકાર, શિલ્પકાર, શ્રી હરિભાઈ પંચાલ, આર .કે.દેસાઈ એજ્યુકેશન મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન મિલન ભાઈ દેસાઈ, ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર તરુણભાઈ કોઠારી (ભાવનગર) અને વિશાળ સંખ્યામાં આવેલ કલાપ્રેમીની હાજરીમાં દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો
તમામ મહેમાનોનું સ્વાગત પુષ્પ ગુચ્છ તથા પુસ્તક આપી કરવામાં આવ્યું
ચિત્ર પ્રદર્શન "અર્ચન"નાં મુખ્ય મહેમાન ગફૂરભાઈ બીલખિયા તેમજ મિલનભાઈ દેસાઈ એ ડૉ.આશાબેન ગાંધીને "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા" નાં 2 પ્રમાણ પત્રો,બેજ, તેમજ ગોલ્ડ મેડલ આપી કલાપ્રેમી મહેમાનોની સાક્ષીએ સન્માનિત કર્યા
૧૨૫ દિવસમાં ૧૨૫ શ્રી ગણેશજીનાં ચિત્રોનુ સર્જન કરી ડૉ.આશાબેન ગાંધી એ "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા" નો એવોર્ડ મેળવ્યો છે,તેમજ તેમની વેબ સાઈટ પર ડૉ.આશાબેન નુ નામ પણ અંકિત થયું છે.
પ્રસંગને અનુરૂપ સહુ એ પોતાનો ભાવ વ્યક્ત કર્યો, ડૉ.આશાબેન ગાંધી એ પોતાનું વક્તવ્ય આપ્યું ને ડૉ.બીપન ભાઈ ગાંધી એ સહુ નો આભાર માન્યો
પ્રદર્શન નાં પ્રારંભે જ રૂપિયા ૮૭,૦૦૦/- નાં ચિત્રોનું વેંચાણ થયું.
"અર્ચન" ,ગણેશજી નાં ચિત્રોનુ પ્રદર્શન કલાપ્રેમી અને જાહેર જનતા માટે આજ ( તારીખ 15 જૂન ) અને આવતીકાલ તારીખ 16 જૂન સવારે 11.00 થી 8.00 દરમ્યાન સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ ની વાડી,સૂર્યા સોસાયટી ની. પાછળ, જી.આઇ. ડી.સી , વાપી ખાતે ખુલ્લું રહેશે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



