સમાચાર સારાંશ: મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ,લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે
અમદાવાદ ખાતે મુખૌટે આર્ટ ગેલેરીમાં ખ્યાતનામ ચિત્રકારોની કલા કૃતિ પ્રદર્શિત કરવામાં આવી લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ,લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવામાટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.તા. 22-08-2024 થી 27-08-2024 સુધી સમય: સાંજે 4 :00 થી 8:00 જેમાં
કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.સ્થળઃ- ૬/એ પહેલાં માળે સૂર્યોદય કોલોની, સરદાર પટેલ કોલોની સ્ટેડિયમ રોડ, નવરંગપુરા અમદાવાદ 380013.
કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન
કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!
પ્રદર્શનના મુખ્ય મહેમાન નયના મેવાડા(ખ્યાતનામ કલાકાર) તથા હંસા પટેલ (ખ્યાતનામ કલાકાર) અને અતિથિ વિશેષ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે સાંજે 5:30 વાગે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલએ જણાવ્યું હતું કે નવોદિત
કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એક જ જગ્યા એ રજુ થાય.
‘મુખૌટે-"27"નાં કલાકારોમાં ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી )
નીલુ પટેલ (મુખોટેના સ્થાપક) અલય મિસ્ત્રી,બકુલેશ વકીલ, ડો.ચેતના અગ્રવાલ,ગીરીશ પટેલ, જીનલ સાવલીયા,માનસી ડી. સધીરા,મંત્ર ભાવસાર,મિતાક્ષ સોની,પ્રીતિ શાહ,રાધિકા એચ મિસ્ત્રી,રૂચા ટોકે,શ્રુતિ સોની,સંગીતા રાઠોડ,વિનય પંડ્યા,વિરેન્દ્ર કુમારના કલાકારૌ એ પોતપોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિ ઓ રજૂ કરેલ છે.
આ પ્રદર્શનને નીહાળવા આપ સૌને આમંત્રણ છે.વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ નો +91-9825752633(વોટ્સએપ)પર સંપર્ક કરી શકાય છે. અથવા mukhoteartist@gmail.com પર ઈમેઈલ કરી શકાય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



