સમાચાર સારાંશ: અભિનેતાને જોવા માટે ભીડ એટલી વધી ગઈ હતી કે ધક્કામુક્કીથી લોખડંના બેરિકેડ પણ તૂટી ગયા હતા. આ દરમિયાન લોકો એકની માથે એક પડ્યા હતા. જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે મોટી જાનહાની થઈ ન હતી.
રણબીર કપૂર સુરત (Surat)માં આવ્યા છે તેવા સામાચાર વાયુ વેગે લોકોમાં પહોંચતા જ તેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ભારતમાં બોલિવૂડ ફિલ્મોનો ક્રેઝ ખૂબ જ છે અને ઘણીવાર ચાહકો પોતાના મનપસંદ અભિનેતા અને અભિનેત્રીની એક ઝલક જોવા માટે પડાપડી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની હતી.
RANBIR KAPOOR IN SURAT, GUJARAT. DELIGHTED TO SEE HIM LIVE. @kabiraRK @saariduniyajala @iMalfoyRKF @MakkaarRk @RKFilmography @RKs_Tilllast @Nehatweets__ @HimeshMankad #RanbirKapoor #Ramayan #RanbirKapoor𓃵 #Ranbir pic.twitter.com/oaf6j7QXcf
— Kishan (@Kindly_its_kj)RANBIR KAPOOR IN SURAT, GUJARAT. DELIGHTED TO SEE HIM LIVE. @kabiraRK @saariduniyajala @iMalfoyRKF @MakkaarRk @RKFilmography @RKs_Tilllast @Nehatweets__ @HimeshMankad #RanbirKapoor #Ramayan #RanbirKapoor𓃵 #Ranbir pic.twitter.com/oaf6j7QXcf
— Kishan (@Kindly_its_kj) April 27, 2024
શનિવારે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સુરત શહેરમાં પહોંચ્યા હતા. એક ખાનગી કાર્યક્રમમાં અભિનેતાએ હાજરી આપી હતી. રણબીર કપૂર સુરત (Surat)માં આવ્યા છે તેવા સામાચાર વાયુ વેગે લોકોમાં પહોંચતા જ તેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અભિનેતાને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે સલામતીના કારણોસર લોખડંના બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં ભીડ એટલી વધી ગઈ હતી કે ધક્કામુક્કીથી લોખડંના બેરિકેડ પણ તૂટી ગયા હતા. આ દરમિયાન લોકો એકની માથે એક પડ્યા હતા. જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે મોટી જાનહાની થઈ ન હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



