સમાચાર સારાંશ: વરસાદ નવા વાદરવડ ગામના ખેડૂત માટે અભિશાપ સાબિત થયો
માળીયા હાટીના તાલુકાના નવા વાદરવડ ગામે દુધાળા ઢોર પર પડી વીજળી . ખેડૂત પરિવારની આજીવિકા છીનવાઈ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં બપોર બાદ વીજળીના ચમકારા અને કાડાકા સાથે વરસાદ પડ્યો
જ્યારે વરસાદની સાથે વીજળીના ચમકારા પણ વધુ હોવાથી માળીયા હાટીના તાલુકામાં વીજળી પડવાના પણ સમાચાર સામે આવ્યા
જેમાં માળીયા તાલુકા ના નવા વાદરવડ ગામે વીજળી પડતા અબોલ પશુઓએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે
જ્યારે ધ્રાબાવડ ગીર ગામે ખેડૂતના ઘર પર વીજળી પડવાની ઘટના બની છે
માળીયા હાટીના તાલુકાના નવા વાદરવડ ગામે અવકાશી વીજળી પડતા ત્રણ ભેંસ અને એક ગાયના મૃત્યુ થવા પામ્યા છે
ત્યારે ખેડૂતના વહાલસોયા પશુઓ કે જે એમની આજીવિકા અને પરિવાર ને દૂધ પૂરું પાડનાર પશુઓ ગુમાવતા પરિવારમાં શોક જોવા મળ્યો હતો
વાદરવડ ગામ ના ખેડૂત મોકાભાઈ પાલા ભાઈ કેશોદા ના અબોલ પશુઓ છે જે ખેડૂત ને ગુમાવવાનો વારો આવ્યો છે
જો આ પશુઓની વાત કરીએ તો તેમની કિંમત લાખો રૂપિયામાં થાય છે ત્યારે ખેડૂતો માટે આશાનું કિરણ બનતો આ વરસાદ નવા વાદરવડ ગામના ખેડૂત માટે અભિશાપ સાબિત થયો હતો અને આવા કિંમતી પશુઓ ગુમાવવાનો વારો આવ્યો હતો
આ ઉપરાંત રાજયમાં 5 દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગે કરી છે આગાહી . ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેર
યથાવત છે.વેરાવળ પંથકમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-- જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



