સમાચાર સારાંશ: વિશ્વના કલ્યાણ માટે ગાયત્રી મહામંત્રનો સામુહિક જાપ કરેલ કરવામાં આવ્યો
પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર ગીરસોમનાથ જિલ્લામાં નિદાન કેમ્પ,હાર્ડવૈદ, દંત યજ્ઞ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો.વિશ્વના કલ્યાણ માટે ગાયત્રી મહામંત્રનો સામુહિક જાપ કરેલ
ગીરસોમનાથ જિલ્લામાં પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, દંત યજ્ઞ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો
આ કેમ્પના દાતાશ્રી બીપીનભાઈ બાલુભાઈ દેવળીયા તેમના પિતાશ્રી બાલુભાઈ દેવળીયા તથા ડો.પ્રિન્સ સાહેબ તથા ડો.ભગીરથસિંહ રાઠોડ માધવ ક્લિનિક ઘંટીયા ફાટક તથા મહંત શ્રી કરસનદાસ બાપુ ઉપવાસી પાધેશ્વરી આશ્રમ મટાણા તથા બીપીનભાઈ જાની ચ્વવન ઋષિ આશ્રમ સુત્રાપાડા સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર,પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરેલ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવનનો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું તથા આ કેમ્પના કાર્યકર્તા વાલાભાઈ વાળા કંટાળા ના ભાઈશ્રી પરબતભાઈ વાળા નો દુઃખદ અવસાન થતા તેમના દિવ્ય આત્માને શાંતિ માટે પાંચ ગાયત્રી મહામંત્ર બે મિનિટ પાડી શ્રદ્ધાંજલિ સમર્પિત કરેલ હતી કેમ્પના દાતા શ્રી
બીપીનભાઈ બાલુભાઈ દેવળીયા (શિક્ષક રાયડી) તથા તેમના પરિવાર નુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં ડો. પ્રિન્સભાઈ એ કુલ 150 દર્દીઓ ને તપાસી જેમાં થી 60 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા દાંત ના ડો.નયનાબેન રાવલીયા અક્ષર ડેન્ટલ ક્લિનિક વેરાવળ દ્વારા 15 દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી
જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. ભગીરથસિંહ રાઠોડ ઘંટીયા એ 70 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચી એ 20 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી
આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) નાથાભાઇ સોલંકી ( થરેલી ) નારણભાઈ વાળા ( પાધરૂકા તથા રોહિતભાઈ દરબાર અમરાપુર, રાહુલભાઈ રાઠોડ બોસન તથા ભલુભાઈ બોસન તથા નરસિંહભાઈ વાઢેર છગિયા શોભનાબેન 66 કેવી ટીંબડી પ્રાચી,સોનીબેન ગોરખમઢી તથા,પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



