સમાચાર સારાંશ: ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.
વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
અમૃતકાલમાં શાળા પ્રવેશ ઉત્સવથી સ્વર્ણિમ બનશે આવતી કાલ
બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના સમયમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. જેના પરિણામે શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ રેશિયોમાં ભારે ઘટાડો થયો આજરોજ વેરાવળ મુકામે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં નરેન્દ્રકુમાર મીણા ( I.A.S ) ની ગરિમાય ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો અને તેઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે માનસિંહભાઈ પરમાર ગીરસોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમભાઈ પટાટ વેરાવળ નગરપાલિકાના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરીયા બોટ એશોસિયનના પ્રમુખ રમેશભાઈ ડાલકી કોળી સમાજના પટેલ વિરજીભાઈ ખારવા સમાજના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ,વેરાવળ નગરપાલિકાના સભ્ય પરેશભાઈ કોટિયા ,ધનજીભાઈ બારૈયા ,દિપીકાબેન ,રાજેશભાઈ સિકોતરિયા આગેવાનો વિદ્યાર્થીઓ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાનું વચન માંગ્યું હતું. જેને આજે કન્યા કેળવણીના માધ્યમથી સાકાર કરવામાં આવી રહ્યું છે. ‘ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.
રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



