હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

મહારાષ્ટ્રમાં ભાજપને અહેસાસ થયો અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી સાથે ગઠબંધન મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મોટું નુકસાન કરશે

Posted 1 year ago with 32 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપ વિરોધી થઇ ગઈ છે

મહારાષ્ટ્રમાં ભાજપને અહેસાસ થયો અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી સાથે ગઠબંધન મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મોટું નુકસાન કરશે
1/1

મહારાષ્ટ્રમાં ભાજપને અહેસાસ થયો અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી સાથે ગઠબંધન મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મોટું નુકસાન કરશે

શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે. 

આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના તાજેતરના પરિણામથી ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને 9 થઈ ગઇ છે. શિવસેના અને એનસીપીએ ક્રમશઃ સાત અને એક બેઠક જીતી હતી. જેની સામે મહાવિકાસ અઘાડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 48માંથી 30 બેઠકો પર સપાટો બોલાવ્યો હતો. 

બુધવારે જ એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીના પ્રવક્તા ક્લાઈટ ક્રેસ્ટોએ દાવો કર્યો હતો કે ભાજપને અહેસાસ થઈ ગયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી સાથે તેનું ગઠબંધન મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેની શક્યતાઓને મોટું નુકસાન કરશે. વાસ્તવિકતા એ છે કે મહારાષ્ટ્રના લોકોએ મોટાપાયે શરદ પવારની પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. 

મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.