સમાચાર સારાંશ: મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્ર, હિમાચલ, કર્ણાટક અને દેશની જનતાની માફી માંગવી જોઈએ. ચૂંટણી પંચે એવી આચારસંહિતા લાવવી જોઈએ કે જો પાર્ટી વચનો આપે અને તેને પૂરા ન કરે તો તેને તે રાજ્યમાં ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ
કોંગ્રેસની ( Congress) ગેરેંટી પર ભાજપના (bjp ) સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા પ્રજાનું ધન કોંગ્રેસના હાથમાં આવશે તો આપત્તિ બનશે”
નવી દિલ્હી ( NewDelhi ) ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. સુધાંશુ ત્રિવેદીએ શનિવારે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતા તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકો સાથે વિશ્વાસઘાત કરશે અને તેમની સંપત્તિ લૂંટશે. તેમજ તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખશે.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદનની ટીકા કરતા ત્રિવેદીએ કહ્યું, 'કોંગ્રેસના પ્રમુખે જે કહ્યું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો ધન, જે લોકો માટે સંપત્તિ અને સમૃદ્ધિ હોવી જોઈએ, કોંગ્રેસના હાથમાં જાય છે, તો તે આપત્તિ બની જાય છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીના ( pm narendra modi ) નેતૃત્વમાં અમે જે રીતે લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે, છેલ્લા 1-2 બજેટમાં અમે લક્ઝરી વસ્તુઓ પર ટેક્સ અને ડ્યૂટી વધારી છે, પરંતુ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ જેવા કેટલાક લોકો છે જેઓ સત્તામાં આવ્યા બાદ પૈસાની લૂંટ ચલાવે છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખે છે.
कांग्रेस अपने किसी भी वादे को कभी भी पूरी नहीं कर पाई और ये जब-जब सत्ता में आते हैं तो उस प्रदेश और देश के लिए आर्थिक चुनौतियां लेकर आते हैं।
— BJP (@BJP4India) November 2, 2024
उनकी (कांग्रेस) सरकार जिन भी राज्यों में है, वहां की आर्थिक स्थिति खराब हो चुकी है।
- डॉ @SudhanshuTrived
पूरा वीडियो देखें:… pic.twitter.com/eqZ76uIaQu
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે, 'કોંગ્રેસે બધે જૂઠાણાંની ખેતી કરી છે અને લોકોમાં ભ્રમણા ઉભી કરી છે. આજે હિમાચલ (Himachal ) હોય કે કર્ણાટક, જ્યાં પણ તેમની સરકાર છે, તેઓ દરેક જગ્યાએ ખોટા વચનો આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું, 'રાહુલ ગાંધી ( Rahul Gandhi ) ને મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્ર, હિમાચલ, કર્ણાટક અને દેશની જનતાની માફી માંગવી જોઈએ. ચૂંટણી પંચે એવી આચારસંહિતા લાવવી જોઈએ કે જો પાર્ટી વચનો આપે અને તેને પૂરા ન કરે તો તેને તે રાજ્યમાં ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



