સમાચાર સારાંશ: તેમણે કહ્યું કે લોકો માતા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરી લે, સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો
મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્ય પ્રધાન આદિત્યનાથનું પહેલું નિવેદન, લોકોને કરી અપીલ સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આજે મૌની આમસના સ્નાન માટે ઉમટેલી ભારે ભીડ બેકાબુ થતા નાસભાગ (Stampede in Mahakumbh) મચી હતી, જેમાં 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) ઈમરજન્સી બેઠક બોલાવી હતી, વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આદિત્યનાથ સાથે ફોને વાત કરી હતી. હવે, યોગી આદિત્યનાથે નિવેદન આવ્યું છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકો માતા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરી લે, સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, ત્યાં સ્નાન કરી શકાય છે.લોકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને વ્યવસ્થા જાળવવા સહયોગ કરવો જોઈએ. તેમજ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.
અફાવાઓ પર ધ્યાન ન આપો:
મુખ્ય પ્રધાને કહ્યું કે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ અને ફક્ત સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપવું જોઈએ.
કુંભ વિસ્તારમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા છે અને વહીવટીતંત્ર સ્નાન મહોત્સવને સુચારુ રીતે યોજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ઉમટી રહેલી ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ દળ, નાગરિક સંરક્ષણ અને અન્ય એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. મહાકુંભના આ પવિત્ર તહેવારને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



