હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્ય પ્રધાન આદિત્યનાથનું પહેલું નિવેદન, લોકોને કરી અપીલ સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.

Posted 1 year ago with 9 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તેમણે કહ્યું કે લોકો માતા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરી લે, સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો

મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્ય પ્રધાન આદિત્યનાથનું પહેલું નિવેદન, લોકોને કરી અપીલ સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.
1/1

મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્ય પ્રધાન આદિત્યનાથનું પહેલું નિવેદન, લોકોને કરી અપીલ સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આજે મૌની આમસના સ્નાન માટે ઉમટેલી ભારે ભીડ બેકાબુ થતા નાસભાગ (Stampede in Mahakumbh) મચી હતી, જેમાં 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) ઈમરજન્સી બેઠક બોલાવી હતી, વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આદિત્યનાથ સાથે ફોને વાત કરી હતી. હવે, યોગી આદિત્યનાથે નિવેદન આવ્યું છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકો માતા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરી લે, સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.

મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્ય પ્રધાન આદિત્યનાથનું પહેલું નિવેદન, લોકોને કરી અપીલ સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, ત્યાં સ્નાન કરી શકાય છે.લોકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને વ્યવસ્થા જાળવવા સહયોગ કરવો જોઈએ. તેમજ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.

અફાવાઓ પર ધ્યાન ન આપો:

મુખ્ય પ્રધાને કહ્યું કે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ અને ફક્ત સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપવું જોઈએ. 

કુંભ વિસ્તારમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા છે અને વહીવટીતંત્ર સ્નાન મહોત્સવને સુચારુ રીતે યોજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ઉમટી રહેલી ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ દળ, નાગરિક સંરક્ષણ અને અન્ય એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. મહાકુંભના આ પવિત્ર તહેવારને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.