સમાચાર સારાંશ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર પ્રભાવિત કલ્યાણપુર તાલુકામાંથી આજે IAF હેલિકોપ્ટરમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા
વડોદરામાં નાગરિકોનું સલામત રેસ્કયુ કરાયું.સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવાયી.... લાગણીસભર દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર પ્રભાવિત કલ્યાણપુર તાલુકામાંથી આજે IAF હેલિકોપ્ટરમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા

ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા આજે સાંજે ૪.૦૦ કલાકે વડોદરાના કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજી ગંજ ખાતે પાણીમાં ફસાયેલા અંદાજે ૫૦ સ્થાનિકોનું બોટ દ્વારા સલામત રેસ્કયુ કરાયું
આ ઉપરાંત SDRFની ટીમ દ્વારા વડોદરાની સયાજી ગંજ હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ તેમજ સ્ટાફનું સલામત સ્થળે રેસ્કયુ કરાયું હતું .નડિયાદના મોકમપુરા ગામે આજુબાજુ પાણી ભરાયેલા હોવાથી પ્રિ-મેચ્યોર ડિલવરીના કેસમાં SDRFના જવાનો દ્વારા મહિલાને સફળતા પૂર્વક હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી .
બીજી તરફ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધુમથર ગામેથી ૦૪ લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યું કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં કલેકટર જી.ટી.પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી ૦૪ વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.
વડોદરાના 40% વિસ્તારમાં ત્રીજા દિવસે પણ વિશ્વામિત્રી નદીનું પાણી ભરાઈ ગયું છે અને દિવસ દરમિયાન અજવા સરોવર અને વિશ્વામિત્રીનું જળસ્તર ઘટ્યું નથી.
ગુજરાતમાં ડૂબી જવાથી 28, દીવાલ પડવાથી 13 અને ઝાડ પડવાથી 2 લોકોના મોત થયા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



