સમાચાર સારાંશ: બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ એવો દિવસ આવેલ હોય ભક્તો ખુબ જ શ્રધ્ધા ધરાવતા હોય છે ત્યારે દ્વારકાધિશજીના ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા.
બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ
યાત્રાધામ દ્વારકા ખાતે દર માસે પૂર્ણિમાના દિવસે દેશ ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગોમતી સ્નાન કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પધારતા હોય છે ત્યારે આજરોજ બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોય અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાના સંયોગ એવો દિવસ આજરોજ હોય મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા સાથે જ ભાવી ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી , માછલી ને લોટ, ગાય ને ચારો, સહિતના દાન આપીને પુણ્યનુ ભાથું બાંધતા જોવા મળ્યા હતા.
દૂરદૂરથી આવેલા ભક્તો ધોમ ધખતા તાપમાં માં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર બન્યા હતા ત્યારે આજરોજ બુધ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભગવાન દ્વારકાધિશના દર્શન કરી ખૂબ જ આનંદ અને ખુશી પ્રાપ્ત કરી હોય તેવું જણાવતા જોવા મળ્યા હતા... બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતના યાત્રાધામોમાં યાત્રાળુની ભીડ જામી છે આ ઉપરાંત ભગવાન બૌદ્ધની જન્મભૂમિ અને તપોભૂમિ ભારતમાં પણ તેમની આરાધના કરવામાં આવી રહી છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



