સમાચાર સારાંશ: કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને કોઈ બેઠક પરથી હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર કરાયા નથી
કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ
લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠી લોકસભા સીટ પરથી કે એલ શર્મા (કિશોરી લાલ શર્મા)ને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે, ભાજપે આ બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. આ સાથે કોંગ્રેસે સોનિયા ગાંધીની બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાહુલ ગાંધી વિશે તો તમે બધા જાણતા જ હશો પણ અમેઠી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કે એલ શર્મા કોણ છે કે જેના પર કોંગ્રેસને આટલો ભરોસો છે.
हमारा परिवार रायबरेली पाहुंच चूका है। #Amethi #Raebareli pic.twitter.com/yFuOEccnl5
— RaGa For India (@RaGa4India)हमारा परिवार रायबरेली पाहुंच चूका है। #Amethi #Raebareli pic.twitter.com/yFuOEccnl5
— RaGa For India (@RaGa4India) May 3, 2024
કિશોરી લાલ શર્મા લાંબા સમયથી અમેઠી અને રાયબરેલી બંને વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીનું કામ જોઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ્યારે મીડિયાએ તેને અપડેટ પૂછ્યું તો તેમણે કહ્યું કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસના કે એલ શર્મા અને ભાજપના સ્મૃતિ ઈરાની વચ્ચે અમેઠી બેઠક પર જંગ જામશે.

જાણો કોણ છે કિશોરીલાલ શર્મા ? કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના છે. 1983ની આસપાસ રાજીવ ગાંધી તેમને પહેલીવાર અમેઠી લાવ્યા ત્યારથી તે અહીં જ રહે છે. 1991માં રાજીવ ગાંધીના અવસાન પછી પણ જ્યારે ગાંધી પરિવારે અહીંથી ચૂંટણી લડવાનું બંધ કર્યું ત્યારે પણ શર્માએ કોંગ્રેસ પાર્ટીના સાંસદ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. કેએલ શર્માનું અમેઠી અને રાયબરેલી સાથે જોડાણ ચાલુ રાખ્યું. તેણે શીલા કૌલ અને સતીશ શર્માનું કામ પણ જોયું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



