સમાચાર સારાંશ: રંગવર્ષા મહોત્સવમાં તારીખ 5 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો.
સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના IGNCA વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતી નિમિત્તે માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો
સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના IGNCA વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતી નિમિત્તે શરૂ કરેલા રંગવર્ષા મહોત્સવમાં તારીખ 5 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો.જેમાં ગુજરાતના માતાની પછડીના લોક કલાકાર દિલીપ ચિતારા અને અક્ષય ચિતારા પોતાના કુટુંબ સાથે આવ્યા.આ દેવીપૂજક સમુદાય વિરમગામ બાજુના ખૂબ અંતરિયાળ ગામ અઘોર જે અત્યારે અશોકનગર તરીકે ઓળખાય છે ત્યાંથી આવી અને અહીં વિદ્યાર્થી ઓ માટે વર્કશોપ કર્યો. તેમની સાત પેઢીથી ચાલતી આ કળા પરંપરા ગુજરાતનું એક ઘરેણું છે.

સીવીએમ કોલેજનો હંમેશા અભિગમ રહ્યો છે કે લોકકળા,શિષ્ટ કળા અને શૈક્ષણિક ક ળા સાથે વિદ્યાર્થીઓને જોડવા આ વર્કશોપ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ દ્વારા અને સીવીએમ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન કલ્ચરલ મેપિંગ અંતર્ગત યોજવામાં આવ્યો જેમાં પેઇન્ટિંગના વિદ્યાર્થીઓએ ખૂબ ઉમળકા ભેર ભાગ લઈ અને ખ્યાતનામ કલાકારો પાસેથી માતાની પછેડી વિશે જાણી અને માર્ગદર્શન મેળવ્યું અને પોતે પણ માતાની પછેડીની એક એક કલાકૃતિ સર્જી કાર્યક્રમના સંયોજક તરીકે ignca માથી હાર્દિકા દલાલ પધાર્યા હતા.સીવીએમ કોલેજના અધ્યાપક નિતેશ પટેલ,મિહિર પટેલે, સોરોબિતા દાસ,દીપક ભટ્ટ ,રંજન ભોઇ એ જહેમત ઉઠાવી હતી ઉદઘાટન પ્રસંગે મ્યુઝિક કોલેજના ડાયરેક્ટર ડો ધીરુભાઈ દેસાઇ ઉપસ્થિત રહયા હતા સ્વાગત સંબોધન નિયામક કનુ પટેલે કર્યું હતું.
આ રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી જુદા જુદા તજજ્ઞો દ્વારા અને જુદા જુદા વિષયના માર્ગદર્શન માટે આયોજિત કરવામાં આવ્યા છે.સી વી એમ યુનિવર્સિટીના અને ચારુતર વિદ્યામંડળના હોદ્દેદારોએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



