હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ટેકનોલોજી

હવે તંત્ર જાગ્યું છે અને હસનાપુર ડેમમાંથી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી સુધી પહોંચશે

Posted 6 months ago with 76 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાત સરકારે યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આગામી સમયમાં આશરે ₹ 83 કરોડના ખર્ચે ગિરનાર પર્વત પર કાયમી પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાનો મોટો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

હવે તંત્ર જાગ્યું છે અને હસનાપુર ડેમમાંથી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો   ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી સુધી પહોંચશે
1/1

હવે તંત્ર જાગ્યું છે અને હસનાપુર ડેમમાંથી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો

ગિરનાર પર ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી સુધી પહોંચશે

જૂનાગઢ: પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આજે ગિરનારમાં યાત્રાળુઓ માટે ભલે રોપવે જેવી આધુનિક વ્યવસ્થાઓ હોય પરંતુ આજદિન સુધી પાણી જેવી સામાન્ય સુવિધાનો અભાવ હતો. આ મામલે અનેક આજુઆતો બાદ હવે તંત્ર જાગ્યું છે અને હસનાપુર ડેમમાંથી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. 

ગુજરાત સરકારે યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આગામી સમયમાં આશરે ₹ 83 કરોડના ખર્ચે ગિરનાર પર્વત પર કાયમી પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાનો મોટો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ, હસનાપુર ડેમમાંથી પાણી પર્વત પર પહોંચાડવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા આ વિગતવાર યોજના જાહેર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ગિરનારની યાત્રા કરતા શ્રદ્ધાળુઓની પાણીની મુશ્કેલીને કાયમી ધોરણે દૂર કરવાનો છે.

પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ, ગિરનાર પર્વત પર પીવાના પાણીની કાયમી વ્યવસ્થા માટે હસનાપુર ડેમ મુખ્ય સ્ત્રોત રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત હસનાપુર ડેમમાં ફ્લોટિંગ પંપ મૂકવામાં આવશે અને તેના દ્વારા દૈનિક 1 MLD પાણી મેળવવામાં આવશે. આ પાણીને પર્વતની તળેટીમાં કાળકા વડલા પાસે આવેલા ઝીણા બાવાની મઢી નજીક એક ફિલ્ટર પ્લાન્ટ બનાવીને શુદ્ધ કરવામાં આવશે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 83 કરોડનો ખર્ચ પાઇપલાઇન નાખવાના કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના, પ્લોટિંગ પ્લેટફોર્મ ઊભું કરવા અને વન વિભાગ તેમજ PGVCLની મંજૂરી મેળવવામાં થશે. 

ફિલ્ટર થયેલું આ 1 MLD પાણી ત્યારબાદ પર્વત પરના મુખ્ય ધાર્મિક સ્થળો સુધી પહોંચાડવામાં આવશે. શુદ્ધ પાણીને સૌપ્રથમ હનુમાન ધારા અને ત્યાંથી અલગ-અલગ પોઇન્ટ મારફતે મા અંબાજી મંદિર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં, અંબાજી મંદિરથી નીચે ઉતરતા પર્વત પરના રસ્તા પર અલગ-અલગ 10 જગ્યાઓ પર પાણીના પોઇન્ટ શરૂ કરવામાં આવશે. આ દરેક પોઇન્ટ પર પાણીની ટાંકીઓ ભરીને યાત્રાળુઓ માટે તબક્કાવાર રીતે કાયમી ધોરણે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી પર્વત પરની પાણીની સમસ્યાનો અંત આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.