સમાચાર સારાંશ: કેજરીવાલે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરતા શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પરમદિવસે મારે સરેન્ડર કરવાનું છે. ખબર નહીં, હવે ક્યાં સુધી આ લોકો મને જેલમાં રાખશે, પરંતુ તેઓ મને તોડી શકતા નથી.
मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024
જેલમાં આ લોકોએ ઘણા દિવસો સુધી ઈન્સ્યુલિનના ઈન્જેક્શન બંધ કરી દીધા. મારું વજન ઘટી ગયું. મારું કીટોન લેવલ ખૂબ વધી ગયું છે. ખબર નહીં, આ લોકો આવું કેમ કરવા માગે છે. પરમ દિવસે ત્રણ વાગે સરેન્ડર કરવા માટે પોતાના ઘરેથી નીકળીશ.કેજરીવાલે કહ્યું કે શક્ય છે આ વખતે તેમને વધુ હેરાન કરવામાં આવે. કેજરીવાલે દિલ્હીના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે તેમનું કાર્ય રોકાશે નહીં. સીએમે કહ્યું, તમે તમારું ધ્યાન રાખજો. મને જેલમાં તમારી ચિંતા રહે છે.
તમે ખુશ રહેશો તો તમારો કેજરીવાલ પણ ખુશ રહેશે. તમારા તમામ કામ ચાલતા રહેશે, હું ભલે ગમે ત્યાં રહું દિલ્હીના કામ રોકાવા દઈશ નહીં. તમારી મફત વિજળી, મોહલ્લા ક્લીનિક, ફ્રી દવા, ફ્રી બસ યાત્રા તમામ કામ ચાલતા રહેશે. પાછો ફરીને તમામ માતાઓ-બહેનોને દર મહિને હજાર રૂપિયા આપવાની શરૂઆત કરીશ. કેજરીવાલે કહ્યું, આજે હું તમારી પાસે પોતાના પરિવાર માટે કંઈક માગવા ઈચ્છું છું. મારા માતા-પિતા ખૂબ વૃદ્ધ છે. મારી માતા ખૂબ બીમાર રહે છે.
મને જેલમાં તેમની ખૂબ ચિંતા રહે છે. મારા ગયા પછી મારા માતા-પિતાનો ખ્યાલ રાખજો અને તેમના માટે પ્રાર્થના કરજો. ભગવાનને પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં ખૂબ શક્તિ હોય છે. તમે મારી માતા માટે દરરોજ પ્રાર્થના કરશો તો તે ચોક્કસ સ્વસ્થ રહેશે. મારી પત્ની સુનીતા ખૂબ મજબૂત છે. તેમણે જીવનના દરેક મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે. જ્યારે મુશ્કેલ સમય આવે છે તો સમગ્ર પરિવાર એક થઈ જાય છે. તમે સૌએ મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે.
આપણે સૌ મળીને તાનાશાહી સામે લડી રહ્યાં છીએ. દેશને બચાવવા માટે જો મને કંઈ થઈ જાય, જો મારા પ્રાણ પણ જતાં રહે તો શોક ન મનાવતા. તમારી પ્રાર્થનાઓના કારણે જ આજે હું જીવિત છું અને ભવિષ્યમાં પણ તમારા આશીર્વાદ મારી રક્ષા કરશે. અંતમાં બસ એ કહેવા માગુ છું, ભગવાને ઈચ્છ્યું તો તમારો આ પુત્ર ખૂબ જલ્દી પાછો આવશે. જયહિંદ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



