સમાચાર સારાંશ: અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી
કોમનવેલ્થની જાહેરાત બાદ અમદાવાદમાં ડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું
અમદાવાદઃ શહેરના ચંડાળો તળાવથી શરૂ થયેલી ડિમોલિશનની કાર્યવાહી હજુ પણ શરૂ છે. શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની સત્તાવાર જાહેરાત થયાના બે દિવસમાં જ મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું સ્પોર્ટ્સ એન્કલેવ બનવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.
અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી અને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા નહોતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મકાનો ખાલી કરાવ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું.
બે દિવસ પહેલા પંચમહાલના વાઘજીપુરમાં 200 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલ અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને માર્ગની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાવનગર શહેરમાં તંત્રએ દબાણ મુકિત અભિયાન અંતર્ગત નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



