સમાચાર સારાંશ: આ પંથકમાં વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું
ગીર જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવભકતો ઉમટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવરિત પાણી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કરી હતી સ્થાપના
ગીર ગઢડા જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન ટપકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર્શનાર્થે શિવ ભક્તો ઉમટ્યા હતા આ પંથકમાં વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું છે. લોક વાયકા પ્રમાણે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ શિવજીની સ્થાપના કરી હતી .
લોક વાયકા પ્રમાણે મેઘાવી ઋષિ દ્વારા 2000 વર્ષ તપસ્યા બાદ ગંગાજી ઉત્પન્ન થયા હતા . લોકોના જણાવ્યા મુજબ આ ગુફા છેક જુનાગઢ સુધી પહોંચે છે. ટપકેશ્વર મહાદેવના મંદિરનું શ્રાવણ માસના સોમવારે અદભુત અને રમણીય દર્શન કરતા શિવભક્ત અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી .
ગીર ગઢડાના ફરેડા ગામથી આશરે ત્રણથી ચાર કિલોમીટર ગીર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તોની મોટી ભીડ જોવા મળી. લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવેલા ત્યાં માતા કુંતાજીને શિવજીની પૂજા અર્ચના કરવા માટે અર્જુનના કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ગુપ્ત ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા તેના કારણે ગુફાની અંદર આવેલ શિવલિંગ પર અવરિત પાણી ટપકતું રહે છે
અહીં શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક તેમજ શિવજીની પૂજા અર્ચના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે. ટપકેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારને આવેલો હોવાને કારણે અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે જેને કારણે વન વિભાગ દ્વારા અહીં સવારથી સાંજ સુધી જ દર્શન કરવાની મંજુરી છે. ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાઓ નો અહ્લાદક નજારો જોવા મળે છે . અહી વન વિભાગ દ્વારા અને પ્રકૃતિ પ્રેમિઓ દ્રારા દર્શનાર્થીઓને પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
શ્રાવણ માસ દરમિયાન ટપકેશ્વર મહાદેવના દર્શને શ્રધ્ધાળુઓ પુંજા અર્ચના કરમાં આવે છે . દેવાધી દેવ મહાદેવના દર્શને આવતા શિવભકતો ભાવવિભોર બને છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



