સમાચાર સારાંશ: ધરિતાની આર્ટમાં એક તરફ રિયાલિઝમની સૂક્ષ્મતા જોવા મળે છે, તો બીજી તરફ ઇમેજિનેશનની મુક્ત ઉડાન
કલાકાર ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે યોજવામાં આવેલ છે. પ્રાકૃતિક દ્રષ્યો તેમજ પ્રકૃત્તિની સુંદરતાને પોતાની આગવી કલા દ્વારા દાર્શવ્યા છે.
બાળપણથી જ પેન્સિલ, કલર્સ અને પેપર પ્રત્યે આકર્ષણ ધરાવતી ધરિતાને 6 થી 7 વર્ષનો ઓઇલ પેઇન્ટિંગનો અનુભવ છે. ત્યારબાદ એક વિરામ બાદ તેમણે ફરી પોતાની આર્ટના સર્જનને જીવનમાં સ્થાન આપ્યું અને 2019 થી વોટરકલરની પ્રેક્ટિસ શરૂ કરી. વોટરકલરની ફ્લુઇડિટી, ટ્રાન્સપરન્સી અને ફ્રીડમ ઑફ એક્સપ્રેશનએ તેમની આર્ટિસ્ટિક જર્નીને એક નવી દિશા આપી.

ધરિતાની આર્ટમાં એક તરફ રિયાલિઝમની સૂક્ષ્મતા જોવા મળે છે, તો બીજી તરફ ઇમેજિનેશનની મુક્ત ઉડાન. તેમની લીફ સિરીઝમાં પાંદડાંને માત્ર નેચરલ એલિમેન્ટ તરીકે નહીં, પરંતુ જીવનના એક પડાવ તરીકે જોવામાં આવ્યા છે. લીલાથી સૂકાઈને ખરેલા પાન સુધીની સફર સમય અને ટ્રાન્સફોર્મેશનની વાત કરે છે અને તેમાં રહેલું સૌંદર્ય જીવનના દરેક તબક્કાને સ્વીકારવાની ભાવના વ્યક્ત કરે છે.
તેનાથી તદ્દન અલગ તેમની ડ્રીમસ્કેપ સિરીઝ છે, જ્યાં કોઈ ચોક્કસ સબ્જેક્ટ કે ફોર્મ પહેલાંથી નક્કી કરેલું નથી. કલર્સ અને વોટરની નેચરને અનુસરતાં, ઇમેજિનેશનમાંથી નેચરના ડ્રીમલાઇક લેન્ડસ્કેપ્સ જન્મે છે. અહીં આર્ટવર્ક માત્ર એક દૃશ્ય નથી રહેતું; તે દર્શકને પોતાની જ એક દુનિયા કલ્પવાની જગ્યા આપે છે.
‘અનુગૂંજ’ તેમના માટે માત્ર એક્ઝિબિશનનું નામ નથી. આનંદ, આશા, મેમરીઝ, એક્સપિરિયન્સ અને લાઇફ લેસન્સમાંથી જન્મતી અને અંતરમાં લાંબા સમય સુધી ગુંજતી રહેતી ઇમોશન્સની આ એક આર્ટિસ્ટિક એક્સપ્રેશન છે.
- વિનય પંડ્યા
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



