સમાચાર સારાંશ: દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ
ગુજરાત નજીક દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી
દીવના દરિયા કિનારાની એક અલગ જ ઉર્જા છે છે તેની પોતાની એક આગવી ઓળખ છે. દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ મંદિર પોતાની એક આગવી પ્રતિભા ધરાવે છે. અહીં શિવલિંગનું અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતાં હોય તેવું જોવા મળે છે.
કારણ કે અહીં સમુદ્રના મોજાં સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતાં જોવા મળે છે.દીવમાં આવેલું ગંગેશ્વર મંદિર દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે, અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે.
તમે જેવા આ મંદિરમાં પ્રવેશ કરો એટલે એવો જ અનુભવ થાય કે જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે. જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો છો એટલે તરત જ બીજું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઇ જાય છે.
મંદિરની આસપાસનું વાતાવરણ પણ અનોખું છે તરબતર દરિયાની સુંદરતા તો અવર્ણનીય હોય જ છે અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું છે એક તરફ આહ્લાદક મદમસ્ત દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તેવું શિવમંદિર.
આ રમણીય સ્થળે શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારો સહેલાણીઓ ધર્મ પ્રેમી જનતા પુજા અર્ચના કરવા મોટી સંખ્યામાં ઉમટી રહી છે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી
એવી માન્યતા છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના શિવલિંગ છે. સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઇ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવામાં આવે છે. જ્યારે પાંડવો વનવાસ ગયા હતા ત્યારે તે સમયે એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહિયાં દેશનાં રાષ્ટ્રપતિ, અનેક રાજપાલ દેશ વિદેશના મહાનુભાવો દર્શને આવી ગયાં છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



