હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ધર્મ

એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી

Posted 1 year ago with 95 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ

એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી
1/4
એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી
2/4
એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી
3/4
એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી
4/4

ગુજરાત નજીક દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું એક એવું શિવલિંગ જ્યાં સમુદ્રદેવ સ્વયં કરે છે જળાભિષેક કરો શ્રાવણમાં ગંગેશ્વર મહાદેવના દર્શન આ શિવાલયની સ્થાપના પાંડવોએ કરી હતી 

દીવના દરિયા કિનારાની એક અલગ જ ઉર્જા છે છે તેની પોતાની એક આગવી ઓળખ છે. દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ મંદિર પોતાની એક આગવી પ્રતિભા ધરાવે છે. અહીં શિવલિંગનું અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતાં હોય તેવું જોવા મળે છે. 

કારણ કે અહીં સમુદ્રના મોજાં સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતાં જોવા મળે છે.દીવમાં આવેલું ગંગેશ્વર મંદિર દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે, અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે. 

તમે જેવા આ મંદિરમાં પ્રવેશ કરો એટલે એવો જ અનુભવ થાય કે જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે. જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો છો એટલે તરત જ બીજું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઇ જાય છે.

મંદિરની આસપાસનું વાતાવરણ પણ અનોખું છે તરબતર દરિયાની સુંદરતા તો અવર્ણનીય હોય જ છે અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું છે એક તરફ આહ્લાદક મદમસ્ત દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તેવું શિવમંદિર.

 આ રમણીય સ્થળે શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારો સહેલાણીઓ ધર્મ પ્રેમી જનતા પુજા અર્ચના કરવા મોટી સંખ્યામાં ઉમટી રહી છે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી

એવી માન્યતા છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના શિવલિંગ છે. સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઇ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવામાં આવે છે. જ્યારે પાંડવો વનવાસ ગયા હતા ત્યારે તે સમયે એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહિયાં દેશનાં રાષ્ટ્રપતિ, અનેક રાજપાલ દેશ વિદેશના મહાનુભાવો દર્શને આવી ગયાં છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.