સમાચાર સારાંશ: નદી નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ
જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી મેઘરાજા રમઝટ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માળીયા હાટીનાના ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી ડેમ 90% સુધી ભરાયો

જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી મેઘરાજા રમઝટ બોલાવતા જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. નદી નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માળીયા હાટીનાના ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી હતી અને ડેમ 90% સુધી ભરાયો . જ્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો ભાખરવડ ડેમ ઓવર ફ્લો થઈ શકે છે
ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં આજે (બીજી જુલાઈ) રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે (બીજી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
માળીયા હાટીના તાલુકામાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પુર જેવી પરિસ્થિતિ બની હતી જ્યારે માંગરોળ તાલુકામવા કામનાથ મહાદેવ પાસેથી નીકળતી નોળી નદિમા પુરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પરિસ્થિતિ ધ્યાને રાખીને માંગરોળ પોલીસે કડક નદીકિનારે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને વધુ વરસાદ ને કારણે નોળી નદીમાં પુર આવતા માંગરોળ તાલુકાના લંબોરા ,શેખપુર ,શેપા,સકરાણા, જેવા ગામડાઓનો માંગરોળ સાથે સંપર્ક ખોરવાયો હતો
માંગરોળ તાલુકામાં આવેલ નોળી નદી પર વધુ વરસાદ હોય છે ત્યારે દર વર્ષે પુરની સ્થિતિ બનતા ઘણા ખરા ગામડાઓ સંપર્ક વિહોણા બનતા હોય છે જ્યારે આ નદી પર આવેલો પુલ હાલ ઊંચો બન્યો નથી ત્યારે લોકોને સર્જાત્તી આ સમસ્યાથી ક્યારે છુટકારો મળશે તે કહેવું મુશ્કેલ છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)- જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



