સમાચાર સારાંશ: જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા ફરી વખત સત્તાનું સુકાન સાંભળતા ની સાથે જ લોકોના કાર્ય કરવાનું ચાલુ કરી દેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે
જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અથાગ પ્રયાસોથી રેલવે પ્રશાસન દ્વારા 9 જુનથી ભાવનગર વેરાવળ દૈનિક ટ્રેઇન હવે વડાલ શાપુર અને લુશાળા સ્ટેશન પર રોકવામાં આવશે

વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમય થી ભાવનગર વેરાવળ ટ્રેઇન જે ભાવનગર થી ઉપડી અને વાયા જૂનાગઢ થી વેરાવળ તરફ રોજ જતી હતી જેમાં નાના સ્ટેશનો વડાલ ,શાપુર અને લુશાળા ખાતે સ્ટોપ ન હતો જેથી આ ગામડાના મુસાફરો અવર જવરમાં ઘણી તકલીફ ભોગવતા હતા ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લા સાંસદ દ્વારા મુસાફરોની તકલીફને ધ્યાને રાખી અને રેલવેને ધારદાર રજુવાત કરવામાં આવી હતી ત્યારે રેલવે દ્વારા સાંસદની રજુવાતને ધ્યાને રાખી અને મુસાફરો ને અવર જવરમાં તકલીફ ન પડે તેમજ સવલત સાથે મુસાફરી કરી શકે તે માટે ભાવનગર થી ઉપડતી ટ્રેઇન નંબર .09566/09567 ને 9 જૂન 2024 ના દિવસ થી હવે જૂનાગઢ થી વેરાવળ તરફ વચ્ચે આવતા સ્ટેશન લુશાળા ,શાપુર અને વડાલ સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવનાર છે તેમજ આ ટ્રેઇન વેરાવળ થી ઉપડી અને ભાવનગર તરફ પ્રસ્થાન કરશે ત્યારે પણ સ્ટોપ આપવામાં આવશે જ્યારે આ ટ્રેઇન ના સ્ટોપ ટાઈમ ની વાત કરીએ તો
સવારે 9 :05 મિનિટ પર વડાલ ખાતે સ્ટોપ હશે અને 9:33 મિનિટ પર શાપુર ખાતે સ્ટોપ હશે જ્યારે 9:47 મિનિટ પર લુશાળા ખાતે સ્ટોપ થવાની છે
જ્યારે વેરાવળ થી ઉપડી અને ભાવનગર તરફ જવામાં 09567 નંબર ની ટ્રેઇન જે લુશાળા સ્ટેશન પર દિવસ ના 3.50 મિનિટ પર સ્ટોપ કરશે અને 4.01 મિનિટ પર શાપુર ખાતે સ્ટોપ લેશે જ્યારે 4:29 મિનિટ પર વડાલ સ્ટેશન પર સ્ટોપ લેનાર છે તેવું રેલવે વિભાગ ની એક યાદી માં જણાવાયું છે
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગત ટર્મ માં રહી ચૂકેલા અને હાલમાં રિપીટ જિલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને તેના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે હંમેશા પ્રયત્નો કરવામાં આવતા રહે છે તેમજ લોકોની સમસ્યાનું હંમેશા સુખદ સમાધાન આવે તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે ત્યારે જનતાના હૃદય માં વસેલા જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા ફરી વખત સત્તાનું સુકાન સાંભળતા ની સાથે જ લોકોના કાર્ય કરવાનું ચાલુ કરી દેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ--જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



