સમાચાર સારાંશ: શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવતા શાંતિ પૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું.
હિમતનગરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે.
ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગમ્બર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહો અલેહી વસલ્લમના જન્મ દિવસ જેને ઇદે મિલાદ ઉન નબી ના નામે ઉજવણી કરવામા આવે છે.

હિંમતનગરના જુદા જુદા વિસ્તારોમા મિલાદની ઉજવણી ના ભાગ રૂપે ઝુલુસ અને જગ્યા જગ્યાએ પ્રસાદીના ભાગ રૂપે જમણવાર કરી મિલાદ ને ઉત્સાહ અને શાંતિ ભેર ઉજવવામા આવ્યું હતું
હિમતનગરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહંમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પયગંબર મહંમદ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે હિમતનગરમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ એ મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
શહેરમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલૂસ કાઢી ઇદ એ મિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઈદ-મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
શહેરમાં ઈદ એ મિલાદ નિમિતે યોજાયેલ જુલુસ શહેરની ગલીમાંથી પસાર થઇ હતી આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ઠેર ઠેર શરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવતા શાંતિ પૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



