સમાચાર સારાંશ: અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ પહોંચ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા
અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ ATSની ટીમે પકડ્યા હતા. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ કોઇ કામગીરી કરવાના ફિરાકમાં હતા. NIA સામે મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો.
આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. ગુજરાત ATSએ આ પહેલા પણ 2023માં ISIS મૉડ્યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા.
સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓએ પણ વધુ તપાસ હાથ ધરીને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થાય અને આતંકીઓ પાસેથી વધુ માહિતીઓ પ્રાપ્ત થશે તેવી માહિતી આપી હતી
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



