સમાચાર સારાંશ: હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા
હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા.
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી તેઓની પૂછરપછ હાથ ધરી છે. એટીએસની પૂછપરછમાં આતંકવાદીઓ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



