હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ, લાઈફ સ્ટાઈલ

અમદાવાદના શેલા ખાતે 'પ્રાકૃતિક-હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: નફારહિત નવી પહેલ

Posted 3 months ago with 561 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: અમદાવાદના શેલા ખાતે 'પ્રાકૃતિક-હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવેથી દર રવિવારે સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન યોજાનાર આ બિન-નફાકારક હાટમાં ખેડૂતો પોતાના કેમિકલ-ફ્રી ઉત્પાદનોનું સીધું વેચાણ કરશે. આ નિઃસ્વાર્થ પહેલ ખેડૂતોને પૂરૂ વળતર અને લોકોને શુદ્ધ આહાર આપવાનો સુંદર પ્રયાસ છે.

અમદાવાદના શેલા ખાતે 'પ્રાકૃતિક-હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: નફારહિત નવી પહેલ
1/4
અમદાવાદના શેલા ખાતે 'પ્રાકૃતિક-હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: નફારહિત નવી પહેલ
2/4
અમદાવાદના શેલા ખાતે 'પ્રાકૃતિક-હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: નફારહિત નવી પહેલ
3/4
અમદાવાદના શેલા ખાતે 'પ્રાકૃતિક-હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન: નફારહિત નવી પહેલ
4/4

અમદાવાદના શેલા ખાતે સ્થિત તુલસી ગીર ગૌશાળામાં રવિવાર, 03 મે 2026ના રોજ સવારે ‘પ્રાકૃતિક‑હાટ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રાકૃતિકવલ્ડ, વી-ધ-યુવા, ટીમ મિત્રા કોમ્યુટિની અને તુલસી ગીર ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ હાટમાં આશરે 120થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયા (માનનીય કુલપતિ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ), શ્રી ડૉ. માણેક પટેલ, ઉપનામે સેતુ (ટ્રસ્ટી, અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટ અને જાણીતા હિસ્ટોરિયન), શ્રી હમીરસિંહ આર. પરમાર (અનેક એવોર્ડ વિજેતા, પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત), તેમજ વિશેષ અતિથિ તરીકે શ્રી રમેશભાઈ પટેલ (મેનેજિંગ ડિરેક્ટર, સૃષ્ટિ ઇનોવેશન અને પ્રાકૃતિક ખેતીના સમર્થક અને પ્રોત્સાહક) અને શ્રી કલ્પેશભાઇ જોષી (સંચાલક અને પ્રિન્સિપલ, ગોતિર્થ વિધાપીઠ) ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટેની આ હાટનું ઉદ્ઘાટન અતિથિ મિત્રો અને આયોજન કરતી ટીમના સભ્યો દ્વારા દીપપ્રાગટ્ય અને ગૌપૂજન દ્વારા કરવામાં આવ્યું. આ પ્રાકૃતિક-હાટનું આયોજન હવેથી દરેક રવિવારે સવારે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી તુલસી ગીર ગૌશાળા, શેલા ખાતે કરવામાં આવશે અને તેમાં ગુજરાતના વિવિધ ભાગમાંથી આવેલા ખેડૂત મિત્રો પોતાના રસાયણ-મુક્ત (કેમિકલ-ફ્રી) પ્રાકૃતિક ઉત્પાદનો વેચશે. આ પ્રાકૃતિક હાટની સૌથી અગત્યની ખાસિયત એ છે કે તે કોઈ પણ જાતના નાણાકીય સ્વાર્થ વગર યોજવામાં આવી છે અને આયોજન કરતી સંસ્થાઓ કોઈ પણ જાતના નાણાકીય વળતરની આશા રાખી રહી નથી જેથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર મળશે.

કાર્યક્રમ દરમ્યાન મુખ્ય અતિથિ પ્રોફેસર (ડૉ.) સી. કે. ટીંબડીયાએ ખેતીમાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ અને નવી પેઢીએ ખેતી સાથે ફરી જોડાવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે પ્રાકૃતિક‑હાટની સંકલ્પનાની પ્રશંસા કરી અને આવા વધુ વેન્ચર્સ થવા જોઈએ એવી સલાહ આપી.

ડૉ. માણેક પટેલે જણાવ્યું કે તેઓ ખેડૂતપુત્ર છે અને ખેતીનો અનુભવ ધરાવે છે, અને પ્રાકૃતિક‑હાટ જેવી પહેલ ખેડૂતોને સીધો લાભ આપે છે, તેથી આવા હાટો વધુ સ્થળોએ યોજાવા જોઈએ.

પ્રગતિશીલ ખેડૂત હમિરસિંહ પરમારે પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો શેર કરતાં જણાવ્યું કે રાસાયણિક મુક્ત ખેતી કેન્સર જેવા રોગોથી બચાવે છે અને ખેડૂતોએ પોતાની સાથે ગ્રાહકોના આરોગ્ય વિશે પણ વિચારવું જોઈએ.

શ્રી રમેશભાઈ પટેલે પ્રાકૃતિક‑હાટને ઉત્તમ પ્રોજેક્ટ ગણાવી તેને દરેક રીતે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને અમદાવાદમાં આવા વધુ હાટો યોજાવાની જરૂરિયાત જણાવી. પોતાની સહકર્મી અને વિધાર્થી તેજલ આ કામ કરી રહી છે તે તેમાના માટે ગર્વની વાત છે તેમ કહ્યું.

કમલેશભાઈએ ગૌસંસ્કૃતિ, ગૌધર્મ અને ખેતી વચ્ચેના આધ્યાત્મિક સંબંધ પર પ્રકાશ પાડ્યો.

કાર્યક્રમની શરૂઆતમાં ઋષિ પંડ્યાએ તમામ સંસ્થાઓની તરફથી મહેમાનો અને ઉપસ્થિત જનતાનું સ્વાગત કર્યું અને પ્રાકૃતિક‑હાટ સાથે જોડાયેલી સંસ્થાઓ વિશે માહિતી આપી, જ્યારે તેજલ ડાભીએ અતિથિ મિત્રોના પરિચયની સાથે પ્રાકૃતિક‑હાટની સંકલ્પના, હેતુ અને ગ્રાહકોને મળનારા લાભો વિશે વિગતવાર પરિચય આપ્યો.

તુલસી ગીર ગૌશાળા, જે ડૉ. ખત્રી અને તેમના પરિવારની છે, તેમણે આ સ્થળને કોઈ પણ નાણાકીય ગણતરી વગર પ્રાકૃતિક‑હાટના આયોજન માટે આપી છે, જેના બદલામાં અંતે તેજલ ડાભી અને ઋષિ પંડ્યાએ તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમના અંતે વિજય ભારતીયએ આ પ્રોજેક્ટમાં તેજલ ડાભીના માર્ગદર્શનમાં તૈયાર થતાં મિત પટેલનો પરિચય કર્યો, નવાયુવાનોએ આવા પ્રોજેક્ટ કરવા જોઈએ તેની વાત કરી ને તમામ અતિથિ મિત્રો, ખેડૂતો, સ્વયંસેવકો અને ઉપસ્થિત જનતાનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો.

પ્રાકૃતિક-હાટની આયોજન કરતી સંસ્થાઓ પૈકી બે સંસ્થાઓના ફાઉન્ડર અને પ્રાકૃતિક-હાટ પાછળ મહેનત કરતા મિત્રો તેજલ ડાભી અને ઋષિ પંડ્યા સાથે વાત કરી વધુ માહિતી મેળવી.

તેજલ ડાભી સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓ સૃષ્ટિ જેવી સંસ્થા કે જે ખેડૂતો ખેડૂત હાટનું આયોજન કરે છે તેની સાથે 20 થી વધારે વર્ષ કામ કરી ચૂક્યા છે. તેમને ખેડૂતો સાથે અને ખેડૂતો માટે કામ કરવુ ગમે છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તો સપોર્ટ કરે જ છે સાથે સાથે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેત તરફ વાળવા માટે પણ સતત પ્રયત્નશીલ છે અને આ પ્રાકૃતિક હાટ પણ તેમના આ કાર્યનો જ એક ભાગ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક હાટના ઉદ્ઘાટન સમારોહમાં આવવા માટે પ્રો. ડૉ. સી. કે. ટીંબડીયા સાહેબે એક જ ફોન પર જ્યારે અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો એનાથી અમારો ઉત્સાહ અને ટીંબડીયા સાહેબ પ્રત્યેનો આદર ભાવ ઘણો વધી ગયો. વર્ષો સુધી જેમણે મેન્ટર તરીકે માર્ગદર્શન કર્યું એવા સૃષ્ટિ સંસ્થાના રમેશભાઈ પટેલ પણ આ ઉદઘાટનમાં ઉપસ્થિત રહ્યા તે મારા માટે તે મારા માટે ગૌરવની વાત છે.

ઋષિ ભાઈએ કહ્યું કે તેઓ વર્ષોથી ટેકનોલોજી સાથે અને છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી ઈ-બ્રાન્ડિંગ સાથે જોડાયેલા છે પણ આ પ્રોજેક્ટના ભાગરૂપે જ્યારે છેલ્લા એક વર્ષમાં તેઓને ખેડૂતો સાથે કામ કરવાનો અનુભવ થયો ત્યારે તેઓને સમજાયું કે ખેતીના ફિલ્ડને ટેકનોલોજી સાથે જોડવાની ખૂબ જ જરૂર છે અને હવે તેઓ હેરિટેજ, ભાષા, સંસ્કૃતિની સાથે સાથે ખેતીને પણ નાણાકીય ગણતરી વગર ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hestan Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો , 76 ટકા ભરાયો