સમાચાર સારાંશ: રાજ્યભરમાં ૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને “હર ઘર તિરંગા”અભિયાનનું ભવ્ય આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા
હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતભરમાં ભવ્ય આયોજન

રાજ્યભરમાં ૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને “હર ઘર તિરંગા”અભિયાનનું ભવ્ય આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું . ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, ૧૧ ઓગસ્ટે સુરત, ૧૨ ઓગસ્ટે વડોદરા, ૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, ૧૧ ઓગસ્ટે સુરત, ૧૨ ઓગસ્ટે વડોદરા, ૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા
રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં ૨ થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
હર ઘર તિરંગા અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે
૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીની ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ
આ તિરંગા યાત્રામાં રાજ્યભરની અંદાજે ૨,૨૦૦થી વધુ સંસ્થાઓ સહભાગી થશે
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં પણ યોજાશે તિરંગા યાત્રા
બોર્ડરના ગામડાંઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન નો તેમણે પ્રારંભ કરાવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.
આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.
આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



